Viral video

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા એ ગુજરાતના લોક ગાયક કિર્તીદાન ગઢવી વિશે શુ કીંધુ ?? જુઓ વિડીઓ

હાલમાં ચારોતરફ ગુજરાતમાં બાગેશ્વર ધામની ચર્ચાઓ થઈ રહી છે કારણ કે ગુજરાતના મહાનગરમાં દિવ્ય દરબાર યોજાયેલ છે. હાલમાં જ સુરત ખાતે બાબાનો દિવ્ય દરબાર યોજાયેલ. આ દરબારમાં બાગેશ્વર ધામના ધમરેન્દ્ર શાસ્ત્રી બાબા એ ગુજરાતના લોક ગાયક કિર્તીદાન ગઢવી વિશે એવું બોલ્યાં કે ચારો તરફ આ વાતની ચર્ચાઓ થઈ રહી છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે બાબા એ કીર્તિદાન ગઢવી વિશે શું કહ્યું.

હાલમાં જ સુરતમાં ભવ્ય અને દિવ્ય દરબાર યોજાયેલ અને આ દરબારની રોનક કીર્તિદાન ગઢવી વધારી હતી. વાત જાણે એમ છે કે બાબા બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીજી ના દિવ્ય દરબાર મા લાખોની જન મેદની વચ્ચે વાણી પવીત્ર કરી હતી અને પૂજ્ય બાબા બાગેશ્વરજી ના ખુબ રાજીપા સાથે આશિર્વાદ મેળવ્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે આ દિવ્ય દરબારમાં લાખો લોકોની વચ્ચે કીર્તિદાન ગઢવીના વખાણ કર્યા હતા.

બાબા ધીરેન્દ્રશાસ્ત્રીએ પોતાની દિવ્ય વાણીથી કહ્યું કે હમારે પાસ કીર્તિદાન ગઢવી ભી આયા હૈં, બહુત અચ્છા ગીત ગાતા હૈં. એ બેઠાં હૈં બબુઆ! બહુત અચ્છા ગીત ગાતા હૈ. મેને તુમ્હારા ડમ ડમ ડમરુ વાલા સુના હૈં. હે ભોલેનાથ હમભી સુનેગે તુમે જાને કી જરૂરત તો નહીં ના ? જાઓગે ભી કેસે જબતક પેમેન્ટ ન મિલે. હમારે ચેલે જો પેમેન્ટ દેને વાલે હૈ વોહ નહિ દેગે. ક્યોંકી હમ મના કર દેગે પેમેન્ટ દેને કો. હમ તુમ કો બાગેશ્વર ધામ બુલાએગે તુંમ આના ઔર વહા ગીત ગાના.

ખરેખર કીર્તિદાન ગઢવી માટે આ યાદગાર ક્ષણ કહેવાય કે સસ્વં શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ તેમને પોતાના દરબારમાં આમંત્રણ પાઠવવાની વાત કરી છે. ખરેખર કીર્તિદાન ગઢવી એક માત્ર ગાયક કલાકાર છે જેમને આવો દિવ્ય લહાવો મળ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીજી ના દરબારમાં કલાકારો, રાજકીય નેતાઓ સહિત ઉદ્યોગપતિઓ હજાર રહેલ અને સૌથી ખાસ વાત એ કે લાલજી બાદશાહના ફાર્મ હાઉસ ગોપીનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉતારો આપવામાં આવેલ છે. ખરેખર બાબાનું ગુજરાત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!