એવુ તો શુ થયું કે પરિવારે જીવતી દીકરી નું જગતીયું કરી નાખ્યુ ??? ઘટના જાણી આંચકો લાગશે
આજના સમયમાં યુવાનો પ્રેમમાં પડીને પોતાનું જીવન બરબાદ કરી નાંખે છે. હાલમાં જ ગુજરાતમાં એક ઘટના બની હતી, કે એક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ પોતાના માતા-પિતાને જ ઓળખવાની મનાઈ કરી દીધી હતી. દીકરીનો પિતા આજીજી કરતો રહ્યો અને દીકરીના પગે પળીને પણ વિનંતી કરી હતી પરંતુ યુવતી પોતાના પ્રેમી સાથે ચાલી ગઈ હતી. હાલમાં જ આવી એક ઘટના ભીલવાડામાં બની છે અને આ પરિવાર સાથે આવી જ એક ઘટના બની હતી પરંતુ આ પરિવારે એવો નિર્ણય લીધો કે સૌ કોઈ આશ્ચય પામી ગયાં.
સોશિયલ મીડિયામાં એક યુવતીનો શોક સંદેશ વાયરલ થઈ રહ્યો છે. આ શોક સંદેશ સામાન્ય નથી કારણ કે પરિવારે પોતાની જ દીકરી જીવતી હોવા છતાં પણ મૃતક ગણાવીને શોક વ્યક્ત સભા અને મુત્યુબાદ થતી તમામ વિધિઓનું આયોજન કર્યું છે. તમે વિચારશો કે આખરે આ પરિવારે આવું શું કામ કર્યું છે? તે જાણીને તમને આશ્ચય થશે. ચાલો અમે આપને આ બનાવ અંગે વધુ વિગતવાર જણાવીએ કે આખરે આ પરિવારે પોતાની જીવતી દીકરીનો શોક સંદેશ કેમ છપાવ્યો.
આજના સમયમાં સંતાનો પ્રેમને પામવા માટે માતા પિતાને ભૂલી જતાં હોય છે અને મોટેભાગે દીકરીઓ પ્રેમી સાથે ભાગી જતી હોય છે. આવો જ બનાવ ભીલવાડાના રતનપુરા ગામમાં, ભેરુલાલ જી લાઠીની પુત્રી પ્રિયા જાટ 18 વર્ષની થતાં જ તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ. કરુણ દાયક ઘટના ત્યારે બની જ્યારે પોલીસ સ્ટેશનમાં દીકરીએ માતા-પિતાને ઓળખતી નથી તેમ જણાવ્યું. જો દીકરી જ માતા પિતાને ઓળખવા તૈયાર ના હોય તો એ દીકરી હોય કે ના હોય શું ફેર પડે?
પરિવારે શોક સંદેશ છપાવ્યો અને તેમણે લખાવ્યું કે, તા.1 જૂન 2023ના રોજ અમારી દીકરી પ્રિયા જાટનો સ્વર્ગવાસ થઈ ગયેલ છે. તા.13 જૂનના રોજ તેની ઉત્તરક્રિયા રાખેલ છે. દીકરી મોતના શોકમાં સમાજના લોકો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું.જે દીકરીએ પોતાના માબાપને ઓળખવાની મનાઈ કરી દીધી એજ દીકરીનું જીવતું જીગતિયું માં-બાપે કરતા આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ બનાવને લઈને દરેક વ્યક્તિએ પોતાની પ્રતિક્રિયાઓ સકારાત્મક અને નકારાત્મક રિતે આપી છે.