સુરતમાં આ શું થઈ રહ્યું છે?? વધુ એક પરિવારે મરણને પામી લીધું, પતિએ પત્ની-દીકરાને ઝેર આપી પોતે પણ કરી લીધો આપઘાત…
ગુજરાતમાં આપઘાતના અનેક બનાવો સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ એક વધુ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ પરવારે સામુહિક આપઘાત કર્યો છે. આ ઘટના ખરેખર ખુબ જ દુઃખદ છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે ક્યાં કારણે પરિવારના સભ્યોએ પોતાનું જીવન તરછોડી દીધું. આ ઘટના અંગે ગુજરાત ટેકના અહેવાલ મુજબ જાણીએ. સુરતમાં અનેક આપઘાતના બનાવો સામે આવતા હોય છે પણ લીંબાયત વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોએ એક સાથે પોતાનું જીવન ટૂંકાવી દીધું.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, પરિવારમાં ત્રણ સભ્યોમાં ઘરના મોભીએ સૌથી પહેલા બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવી અને ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો.આ દુઃખદ ઘટનાની જાણ થતા જ પોલીસએ તપાસ હાથધરીને તાત્કાલિક જ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલાવેલ. પોલીસને હાલમાં પરિવારના સામુહિક આપઘાતનું કારણ સામે આવ્યું નથી.
આ બનાવમાં જાણવા મળ્યું છે કે, મૃતકે તેલુગુ ભાષામાં એક વીડિયો પણ બનાવ્યો છે અને ઘટના સ્થળેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે, આ સામુહિક આપઘાતની ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ હતી. હાલમાં આ બનાવ અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે, જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આખરે આ પરિવારે ક્યાં કારણે મોતને વ્હાલું કર્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.