રાજકોટમાં ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી કરતી વખતે જ ધો.10ના વિધાર્થીને હાર્ટ એટેક આવતા જ જીવ ગયો, પરિવારે એકનો એક દીકરો…
હાર્ટ એટેકના બનાવો ગુજરાતમાં સતત વધી રહ્યા છે, જેમાં યુવા વયના લોકોના મૃત્યુના બનાવ ખૂબ જ સામે આવી રહ્યા છે. આજ રોજ હાર્ટ એટેકના કારણે વધુ એક તરુણ યુવાને જીવ ગુમાવ્યો છે. દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે રાજકોટ નજીક આવેલ રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે ગુરુપૂર્ણિમાના ઉત્સવની તૈયારી ચાલતી હતી.
આ દરમિયાન જ ગુરુકુળમાં જ અભ્યાસ કરનાર મૂળ ધોરાજીનો. દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુખાવો ઊપડતાઢળી પડ્યો હતો.આ કારણે તેને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરેલ પરંતુ યોગ્ય સારવાર મળે એજ પહેલા ડોકટરે હાર્ટ-એટેકથી મોત થયાની જાણ કરેલ.
રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોકટરે જણાવેલ કે, દેવાંશને પહેલાથી જ હૃદયની બીમારી હોઈ શકે છે. કારણ કે સામાન્ય યુવાનના હૃદય કરતાં બમણું વજન દેવાંશના હૃદયનું હતું. હાલમાં તો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ આવી શકે છે.
પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે કે, મૃતક દેવાંશના પિતા વીંટુભાઈ ભાયાણીને ધોરાજીમાં ભૂમિ પોલિમર પ્લાસ્ટિક પાઇપ બનાવવાનું કારખાનું છે અને દેવાશ 10માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. એકનો એક દીકરો ગુમાવતા પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈગયું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.