વ્યક્તિના મુત્યુ બાદ વર્ષી કેમ મોડી વાળવામાં આવે છે? ૯૮ વર્ષના માજી એ જણાવ્યું કારણ કહ્યું કે, શિવ શરણે લઈ જાય પછી…જુઓ વિડિયો
જુના જમાનાની અને ધાર્મિક વાતો સાંભળવી હોય તો તમારે વડીલો પાસે અચૂક બેસવું જોઈએ હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયર ઉઠી રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક 98 વર્ષના માજી ગામની શેરીમાં ખુરશી પર બેસીને પુસ્તકમાં રામ નામ લખી રહ્યા છે.
આ દરમિયાન તેઓએ ખૂબ જ સુંદર અને સાચી વાત કરી રહ્યા છે તેઓ જે વાત કરી છે તે ખૂબ જ જાણવા જેવી અને સમજવા જેવી છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વ્યક્તિ મૃત પામે છે ત્યારબાદ મૃતકની વર્ષી મોડી વાળવામાં આવે છે તેની પાછળનું કારણ શું છે ત્યાં માજીએ જણાવ્યું છે.
આ માજી કહે છે કે રામ રક્ષણ કરે છે, કૃષ્ણ કષ્ટ હરે બલભદ્ર પોષણ કરે અને શિવ શરણે લઈ જાય. શિવ શરણાઈ લઈ જાય પછી આપણા કર્મ જોઈ આપણને અવતાર આપે છે.ત્યાં સુધી વર્ષી નથી વાળતા. વર્ષી મોડી વાળવાનું કારણ આ છે. આ વિડીયો જોઈને ચોક્કસ સમજાય છે કે આપણા વડીલો પાસેથી અનેક વાતો સમજવા જેવી જાણી શકાય જીવનમાં એવી ઘણી વાતો એવી હોય છે કે જેઓ પોતાના અનુભવથી જાણતા હોય છે.
વડલો ગમે એટલો જૂનો ભલે થઈ જાય પણ તેનો છાયડો હમેશાં એક સરખો જ હોય છે, ખરેખર વડીલોના સથવારે દ્દરેક વ્યક્તિ પોતાના જીવને ઉજ્જવળ બનાવી શકે છે. હાલમાં તો આ વૃદ્ધ માજીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો જોઇને તમે પણ માજીના વખાણ જરૂરથી કરશો કારણ કે આ માજીએ જે વાત કરી છે એ દરેક વ્યક્તિ માટે જાણવા જેવી માહિતી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.