Gujarat

કોઈનું નામ લીધા વગર જ મોરારીબાપુએ કર્યા આકરા પ્રહાર!! કહ્યું કે “અમુક લોકોને મેં રામના દર્શન કરતા મેં નથી જોયા….

હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને સતત વિવાદ સામે આવી રહ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે ગુજરાતમાં સાળંગપુર વિવાદ બાદ હવે ફરી એકવાર સ્વામીજીએ ખોડિયાર માતાજી પર વિવાદિત ટિપ્પણી કરતાં જ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. રાજભા ગઢવી, માયાભાઈ આહીર અને દેવાયત ખવડે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને મરણીધર બાપુ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. હાલમાં આ તમામ લોકો વચ્ચે ફરી એકવાર મોરારી બાપુનું વધુ એક નિવેદન સામે આવ્યું છે

તમને જાણીને નવાઈ લાગશે કે, સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વગર જ મોરારી બાપુએ આકરા પ્રહાર કર્યા છે. બાપુએ અમુક લોકોને મે રામ મંદિરમાં દર્શન કરતા જોયા નથી. સૌરાષ્ટ્રમાં ઓટલો અને રોટલો આપનાર અત્યારે રામ મંદિરથી દૂર છે. રામાનંદી વ્યવસ્થાએ જ લોકોને મંદિરમાં ઓટલો-રોટલો આપ્યો હતો આપણા અંદરના કેટલાક તત્વો એવા છે જે દેખાતા નથી પરંતુ તેમનો ઈરાદો ખરાબ છે, રામ-કૃષ્ણ કોઈ નથી ફક્ત અમે છીએ, અરે કાલ સવારના છોકરાઓ.

ખરેખર આપણે સૌ કોઈ જાણીએ છે, કે આ પહેલા પણ મોરારી બાપુએ હાનુમાનજીના અપમાન અંગે સ્વામિનારાયણ સંપ્રદાય તરફ આકરા પ્રહારો કર્યા હતા અને આ પહેલા પણ અનેકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ અંગે મોરારી બાપૂ એ ચોક્કસપણે નિવેદન આપ્યું છે, આ વિવાદનો અંત ક્યારે આવે છે એ તો હવે અગામી સમયમાં જ આવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!