Gujarat

પતિ ની ગેરહાજરી મા મહીલા પોલીસકર્મી એ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનુ કારણ…

ખરેખર હાલમાં જ્યા જુઓ ત્યાં આત્મહત્યાના વધુ બનાવ બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના બની જેમાં
પતિ-પુત્ર લગ્નમાં જામનગર ગયા હતા ને મહિલાએ ગળાફાંસો ખાધો, ત્રણ દિવસે દુર્ગંધને લીધે પાડોશીઓને જાણ થઈ ત્યારે ખબર પડી! ખરેખર આ ઘટના સાંભળીને સૌ કોઈને આશ્ચય લાગે. અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ કે, આખરે કયા કારણોસર આવું બન્યું હતું.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અમદાવાદના મણિનગરની મહિલા પોલીસકર્મીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું અને ત્રણ દિવસ સુધી તેની લાશ ની દૃર્ગધ આવી ત્યારે લોકોને જાણ થઈ હતી.વાત જાણે એમ છે કે, પતિ અને પુત્ર લગ્નપ્રસંગમાં જામનગર ગયા હતા. આ સમય દરમિયાન જ ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો અને ત્રણ દિવસ લાશ લટકતી જ રહી હતી જેને પગલે અસહ્ય દુર્ગંઘ આવતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મનીષા વિજયસિંહ ચૌહાણ નામની 34 વર્ષીય મહિલા પોલીસકર્મીના ઘરમાં અસહ્ય દુર્ગંધને પગલે પાડોશીએ પોલીસને જાણ કરી હતી અને માહિતી મળતાની સાથે જ ખોખરા પોલીસ ઘટનાસ્થળે પોહચીને પોલીસકર્મીના મૃતદેહને ઉતારીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી પણ મહિલા પોલીસકર્મીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસબેડામાં ગમગીની છવાઈ ગઈ છે.

આ ઘટનાનને કારણે પોલીસ વિભાગ તેમજ પરિવાર જનોમાં શોકમય વાતાવરણ છવાઇ ગયુ હતું. એક તરફ પિતા અને પુત્ર લગ્નમાં હતા અને આ બંનેની ગેરહાજરીમાં આવું પગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. કયા કારણોસર મુત્યુ થયું એ તો હાલમાં જાણ નથી થઈ પરંતુ પોલીસ તપાસ દ્વારા જાણવા મળશે કે કયા કારણોસર મહિલા એ આત્મહત્યા કરી છે. આ મૃતક મહિલાની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!