Gujarat

બે પ્રેમી યુગલ ટ્રેન નીચે આવીને જીવ છોડ્યો, યુવકનું ઘટના સ્થળે મુત્યુ જ્યારે યુવતીનું..

હાલના સમયમાં લોકો પોતાના લગ્ન જીવન થકી એક જિંદગીની નવી શરૂઆત કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક પ્રેમી યુગલે આત્માહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે. આ ઘટનાને કારણે પરિવાર જનોમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. ખરેખર આજના સમયમાં અનેક લોકો પોતાનો જીવ ટૂંકાવી દેતા હોય છે.

ખાસ કરીને આજનાં સમયમાં યુવા પેઢીઓ ખૂબ જ નાજુક બની જાયછે. પ્રેમને ખાતર પોતાનો જીવ દેવા માટે પણ અચકાતા નથી. ખરેખર આ કોઈ સામાન્ય ઘટના નથી. હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, મોરબીના હળવદ રેલવે સ્ટેશન નજીક બુધવારે ત્રણેક વાગ્યાના અરસામાં પ્રેમી યુગલે કોઈ કારણોસર ટ્રેન નીચે ઝપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટનાને કારણે. પ્રેમી યુગલે ગુડ્સ ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને લઈ પોલીસ પણ ત્વરિત બનાવ સ્થળે પહોંચી ગઈ હતી.બુધવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં કચ્છના મુન્દ્રા તરફથી આવતી ગુડ્સ ટ્રેન હળવદ નજીક પહોંચી હતી. આ દરમિયાન પ્રેમી યુગલે ધસમસતી ટ્રેન સામે ઝંપલાવી દેતા બન્નેના મોત થયા હતા.

યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મૃતક યુવતી ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામની હોવાનું અને તેણીનું નામ નિકિતાબેન ચંદુભાઈ ઠાકોર હોવાનું સામે આવ્યું છે.ખરેખર આ ઘટના ક્યાં કારણોસર બની કોઈ નથી જાણી શક્યું. જીવનમાં દુઃખ તો આવ્યા કરે પણ એનો મતલબ એવો નથી કે, પોતાનો જીવ ટૂંકાવી દેવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!