શહીદ જવાન હરિશસિંહ ની આ ઈચ્છાઓ અધૂરી રહી ગઈ તેમણે પરીવાર ને કહ્યુ હતુ કે..
હાલમાં ગુજરાતમાં એક જ નામ દરેક ની જુબાન પર છે, વીર શહીદ હરીશસિંહ પરમાર! આપણે સૌ કોઈ જાણીએ છે કે, દેશની રક્ષા અર્થે પોતાના પ્રાણ આપી દીધા પરતું શહીદ જવાન હરિશસિંહ નીએક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ જેના વિશે અમે આપને માહિતગાર કરીશું. જ્યારે તમે જાણશો ત્યારે તમારી આંખમાંથી આંસુઓ સરી પડશે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે.
કંપડવંજના એક લ ખેડૂતના ઘરે જન્મેલા હરેશસિંહને નાનપણ થી જ આર્મીમાં જોડાવા નો શોખ હતો, જેઓને કોલેજના પ્રથમ વર્ષમાં જ આર્મીમાં નોકરી મળતા તેઓ અભ્યાસ છોડી દેશ સેવામાં જોડાઈ ગયા હતા.2016માં હરીશસિંહ રાઘાભાઈ પરમાર ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા. તે સમયે તેઓને આસામમાં પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. ત્યાર બાદ તેઓ જમ્મુમાં ફરજ બજાવતા હતા. વણઝારીયા ગામમાં રહેતા રાધાભાઈ અમરાભાઇ પરમારને સંતાનોમાં બે પુત્રો છે. જેમાં હરીશસિંહ જે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. જ્યારે બીજો પુત્ર સુનિલ પરમાર ઘરકામમાં પિતાને સાથ આપી રહ્યો છે.
2500 વસ્તી ધરાવતા વણઝારીયા ગામનો મા ભોમની રક્ષા સાથે નાતો છે. આ ગામમાં 2500 લોકો વસવાટ કરે છે જેમાંથી પાંચ નવયુવાન ભારતીય સૈન્યમાં ફરજ બજાવે છે. અને 25 થી 30 કરતા વધારે નવયુવાનો ભારતીય સૈન્યમાં જોડાવા માટે પ્રયત્નો પણ કરી રહ્યા છે. શહીદ જવાન છેલ્લે મે મહિનામાં લગ્ન કરવા માટે વતન વણઝારીયા ખાતે આવ્યા હતા. તેઓને ધામધૂમ પૂર્વક લગ્ન કરવાની ઈચ્છા હતી, પરંતુ કોરોનાકાળને કારણે ગણતરીના મહેમાનો બોલાવાની સરકારી ગાઈડ હોય તેઓ પછી લગ્ન કરીશ તેમ કહી 2 જૂનના રોજ નોકરી પર પરત ફર્યા હતા. પરંતુ કોને ખબર હતી, કે તે સમયે નોકરી પર જઈ રહેલ હરીશસિહ આ રીતે ઘરે પરત ફરશે.
હરીશસિંહના પિતા રાધાભાઈ પરમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, શનિવારે બપોરના 12 વાગ્યાના અરસામાં જમ્મુથી ભારતીય સૈન્યના મેજરનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હરીશસિંહ શહીદ થઈ ગયા છે. જે સાંભળતાં જ હું ભાંગી પડ્યો હતો. સાથે મને ગૌરવ પણ થયું છે કે મારા દીકરાએ મા ભોમની રક્ષા કાજે શહીદી વહોરી છે.
હરિશસિંહ ને પ્રથમ વર્ષમાં જ તેને આર્મીમાં પ્રવેશ મળતા તેણે કોલેજનો અભ્યાસ છોડી આર્મી જોઈન કરી લીધુ હતું. તેને નાનપણથી જ અભ્યાસમાં ઓછો અને દેશ સેવામાં વધારે રસ હતો. તે હંમેશા અમને પણ આર્મી જોઈન કરવા માટે કહેતો અને ખરેખર તેને લોકોનું દિલ જીતી લીધું સાથો સાથ પરિવારનું નામ પણ રોશન કરી દીધું.ખરેખર ધન્ય છે,આ વીર જવાનને!