ટ્રકની અડફેટે બાઇક આવતા, બાઇકમાં સવાર ત્રણ યુવાનોનું ઘટના સ્થળે જ થયું દુઃખ નિધન…
અવારનવાર રોડ અકસ્માતની ઘટના બને છે, ત્યારે હાલમાં જ
પંચમહાલ જિલ્લાના વેજલપુર પાસે ટ્રક અને બાઇક વચ્ચે અક્સ્માત સર્જાયેલ. આ ઘટનામાં ત્રણ યુવાનના ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો. આ યુવાનોના પરિવારને વાત ની જાણ થતાં પરિવાર જનો શોકમગ્ન થઈ ગયા હતા. ખરેખર આ ઘટના કંઈ રીતે બની તેના વિશે અમે આપને જણાવીએ.
સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ ગોધરા-વડોદરા હાઇવે પર વેજલપુર પાસે આજે ત્રણ યુવાનો બાઇક પર પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી.આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરી હતી. ત્રણેય યુવાનના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા
ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી.
આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી ને તપાસ હાથ ધરી હતી.ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,ત્રણ જ દિવસ પહેલા જ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંઝીયાખુટ ગામના બે સગા ભાઇ સહિત એક જ પરિવારના 3 યુવાનોના અકસ્માતમાં મોત થયા હતા. તે સમયે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ ST બસ અને બાઇક સાથે અકસ્માત થયો હતો.
જેમાં બસની આગળના ભાગે બાઇક ઘૂસી ગયું હતું. ફરી એકવાર આવી ઘટના બનતા ત્રણ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો.ખરેખર આ ઘટના ને કારણે પરિવાર જનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેમજ મૃતકોની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના. આ ઘટના એટલી ભયંકર હતી કે યુવાનો નું ઘટના સ્થળે જ નિધન થઈ ગયું.