Gujarat

મઢડા ધામના આઈ શ્રી બનું એ આજે આપણી વચ્ચેથી વિદાય લીધી! બનુંમાં દેવલોક થતા ચારણકુલમાં….

આજનો દિવસ આઇછોરું માટે ખૂબ જ દુઃખદાયી બન્યો છે, દરેક આઇ છોરૂ આજે માનો ખોળો ગુમાવ્યો છે પણ કહેવાય છે ને કે, મા તો મા છે તો આ જગના નાં હોય છતાં પણ સદાય પોતાના સંતાનો ભેળે જ હોય છે. આજ રોજ સોનલધામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે કારણ કે, આઈ શ્રી સોનલ મા નાં બહેન આઈ શ્રી બનુમાં દેવ લોક થઈ ગયા છે અને આઈ શ્રી સોનલમાંની સમીપે ચાલ્યા ગયા છે.

આ સમાચાર મઢડા ધામ માટે ખૂબ જ દુઃખ છે તેમજ સમસ્ત ચારણ કુંડ અને આઈનાં ભક્તોજનોન શોકની લાગણીઓ છવાઈ ગઈ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક વર્ષો થી જગત જનની માં જોગમાયા નું સાક્ષત સ્વરૂપ આઈ શ્રી સોનલ મા પોતાની દિવ્યાતા થકી સમાજ અને માનવજીવનું કલ્યાણ કર્યું છે અને સમસ્ત ચારણકુલનો ઉદ્ધાર કર્યો હતો.ગઢવી કુલનાં સંત સ્વભાવના પિતાજી હમીરબાપુ મોડને ત્યાં.. પાંચમા પુત્રી એવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો.

ચાર-ચાર પુત્રીઓ પછી પણ પાંચમુ સંતાન પુત્ર આવે એવી આશા પરિવારમાં સૌકોઈની હોય તે સ્વાભાવિક છે. પરંતુ હમીરબાપુને ત્યાં.. પાંચમી સંતાન આવવાનો હરખ પણ પરિવારમાં એટલો જ હતો. જેટલો આગળની ચાર-ચાર પુત્રીઓનો જન્મ થયો હોય તેટલો. હમીરબાપુને અગાઉ થઈ ગયેલા આ સોનબાઈમાં.. સરાકડીયા વાળાએ વચન આપ્યું હતું કે તમારી પાંચમી પુત્રી માં ભગવતીનો અવતાર હશે અને તેમની ચારેય બહેનોમાં પરમ પૂજ્ય આઈ શ્રી બનુ મા પણ અનેક ભક્તોના જીવનને કલ્યાણકારી બનાવ્યું છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં બનુમાં નિધનના સમાચાર વહેતા થયા હતા પરંતુ એ વાત તદ્દન ખોટી હતી જે, આઈ શ્રી સોનલ ધામ દ્વારા જણાવવામાં આવી હતી પરંતુ આજે આખરે આઈ શ્રી બનું મા એ પોતાની જીવન લીલાઓને સંકેલીને દેવો લોક તરફ સિધાવ્યા છે, ત્યારે ખરેખર ચારણકુળમાં ખૂબ જ મોટી ખોટ પડી છે. સોનલ ધામ સદાય સદાવ્રત અને ભાવિભક્તોને આવકારતું ધામ રહ્યું છે, જ્યાં સદાય માતાજીના આશીર્વાદ થકી લોકોનું જીવન ધન્ય બન્યું છે, ત્યારે ખરેખર આઈ શ્રી બનું માની કૃપા દ્રષ્ટિ આપણા સૌ પર સદાય રહે એવી મા નાં ચરણોમાં પાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!