સાઉથ એકટર પુનીથ રાજકુમારનું ૪૬ વર્ષની વયે હાર્ટએટેક થી નિધન
સાઉથ ના કન્નડ સિનેમાના પાવર સ્ટાર કહેવાતા અભિનેતા પુનીથ રાજકુમાર નું શુક્રવાર તા-૨૯ ઓક્ટોબર ના રોજ હાર્ટ એટેક થી અવસાન થયેલ છે. મળતી માહિતી અનુસાર પુનીથ રાજકુમારની શુક્રવારે તબિયત ખરાબ થયેલ હતી. તેમને પહેલા છાતીમાં દુખાવો થયેલ હતો, ત્યારબાદ તેમને તરતજ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા, ડોકટરે હાર્ટએટેક આવ્યાનું જણાવેલ હતું. અને ત્યાં તેમનું નિધન થયેલ હતું.
આ દુખદ સમાચાર ની જાણ ક્રિકેટર વેંકટેશ પ્રસાદે પોતાના ટવીટર એકાઉન્ટ પર ટવીટ કરી લોકો સુધી પહોચાડેલ હતું. આ સમાચાર સાથે ક્રિકેટર વેંકટેશ પ્રસાદે ટવીટ પણ કરેલ કે ભગવાન પરિવાર ને હિંમત આપે અને તેમના ચાહકોને શાંતિ જાળવવા માટે કહેલું હતું. આ દુખદ સમાચાર ની જાન થતા તેમના સંપૂર્ણ રાજ્યમાં રજા જાહેર કરવામાં આવી હતી. અભિનેતા પુનીથ રાજકુમાર ના અવસાન ના સમાચાર મળતા ની સાથે તેમના ચાહોકોની બેંગલુરું હોસ્પિટલ ની બહાર તેમની અંતિમ ઝલક જોવા માટે ભીડ ઉમટી પડી હતી.
અભિનેતા પુનીથ રાજકુમાર ની કન્નડ સીનામાંના સફર ની વાત કરીએ તો તેમણે બાળપણ થી જ અભિનય ની શરૂઆત કરેલ હતી.તેમણે બાળ કલાકાર તરીકે સૌ પ્રથમ ફિલ્મ જેનું નામ “બેટ્ટડા હુવું” હતું જે વર્ષ-૧૯૮૫ માં રીલીઝ થયેલ હતી. જેમાં તેમના ભૈનાય ને જોઈ તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરુસ્કાર પણ મળેલ હતો. તેમણે ૨૯ થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કરેલ છે. તેઓ વર્ષ-૨૦૦૨ માં દેશભરમાં અપ્પુના નામથી જાણીતા થયા હતા.
તેમની પ્રખ્યાત ફિલ્મોની વાત કરીએ તો “તે અભી”, “વીરા કન્નડીગા”,” અજય”, “અરસુ”, “રામ”, “અંજનીપુત્ર” , “હદગુરુ” જેવી તેમની પ્રખ્યાત ફિલ્મો છે. તેમની છેલ્લી ફિલ્મની વાત કરીએ તો કે જે આ વર્ષે જ રીલીઝ થયેલ છે. જેનું નામ “યુવારાથના” છે. જે તેમની છેલ્લી ફિલ્મ રહી છે.તેમના પરિવાર ની વાત કરીએ તો તેમણે વર્ષ-૧૯૯૯ માં અશ્વિની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેઓને હાલ બે પુત્રી પણ છે.