Entertainment

તો શુ આ અભીનેત્રી કરશે દયાબેન રોલ???

તારક મહેતા કા ઊલટા ચશ્માં મા દયાબેન છેલ્લા ઘણા મહિના થી સીરીયલ મા દેખાઈ નથી રહયા તેમના ફેન ઘણા લાંબા સમયથી તેમની રાહ જોઈ રહ્યા છે ત્યારે અનેક ખબરો આવી કે દયા બેન એટલે કે દિશા વાકાણી આ તારીખે સીરીયલ મા પરત ફરશે પરંતુ તમામ દાવાઓ ખોટા સાબિત થયા.

ફરી એકવાર દયાબેનની ભૂમિકા ચર્ચામાં છે. અહેવાલ છે કે શોના નિર્માતાઓએ નવી દયા બેનને શોધવા માટે નવી અભિનેત્રીની શોધ શરૂ કરી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર દિવ્યાંકા ત્રિપાઠીને આ ભૂમિકાની ઓફર કરવામાં આવી છે. પરંતુ દિવ્યાંકાએ આ ભૂમિકા ઠુકરાવી દીધી છે. જોકે બંને તરફથી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

નિર્માતાઓ હવે દયા બેનની ભૂમિકા માટે નવી અભિનેત્રીની શોધમાં છે. તેણે ઘણી અભિનેત્રીઓના નામ પર વિચારણા કરી છે અને વાતચીત ચાલી રહી છે. આમ છતાં હજી સુધી નવી દયાબેન કેમ મળી નથી તે સમજાતું નથી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!