GujaratIndia

લગ્નેત્તર સંબંધે વધુ પરિવારને બરબાદ કર્યોઃ દિકરી સામે માતાએ કરી આત્મહત્યા…

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક અનૈતિક સંબંધે આખા પરિવારને વેરવિખેર કરી દિધો છે. અહીંયા એક પરણીત મહિલાને એક પુરૂષ સાથે પ્રેમ થયો હતો અને પ્રેમી તેણીને ખૂબ હેરાન કરતા તેણીએ આત્મહત્યા કરી લિધી છે.

જ્યોતિ નામની પરણીત મહિલાનો પ્રેમી રિંકુ તેણીને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. પરંતુ જયોતિએ આ સંબંધ ખતમ કરવો હતો, જેથી તેણે પ્રેમસંબંધનો ઈન્કાર કર્યો હતો. પરંતુ રિંકુ સતત દબાણ કરતો હતો. જયોતીના પ્રેમસંબંધની પતિ રાજુભાઈને જાણ થઈ જતા મહિલાએ આપઘાત કરી લીધો હતો.

તો પ્રેમિકાના આપઘાતથી ગભરાઈ ગયેલા પ્રેમીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. ભાઈ-બહેનની જેમ રહેતા પત્ની અને મિત્ર વચ્ચેના અનૈતિક સંબંધની જાણ થતા પતિ પણ આઘાતમા આવી ગયો હતો.

એક આડા સંબંધના કારણ બે ફૂલ જેવી દિકરીઓએ માતા ગુમાવી છે.

સમાજમાં વારંવાર લગ્નેત્તર સંબંધોના કિસ્સાઓ સામે આવતા હોય છે. લગ્નેત્તસ સંબંધોના કારણે અનેક પરિવારો બદરબાદ થયા છે. ત્યારે આ પ્રકારના સંબંધો એ સમાજમાં પ્રસરી ગયેલું એક પ્રકારનું દૂષણ છે. હવે અનેક પરિવારોને બરબાદ થતા અટકાવવા હશે તો, સમાજમાંથી આ પ્રકારના દૂષણને દૂર કરવું જ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!