ઓહ તો હજી આ મોટી આફતો આવવાની બાકી છે ??? વિશ્વ આબોહવા જોખમ મા ભારત નો ક્રમ સાતમો
કોરોના ની ખરાબ પરીસ્થિતી અને કુદરત પણ આપણા થી રુઠી હોય એવુ લાગે છે ભારત નુ વાતાવરણ અને આબોહવા મિશ્ર છે. અને કુદરતી આફતો વારંવાર આવી રહી છે જેના કારણે આર્થિક કટોકટી પણ પડી રહી છે. કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી મંત્રાલયે આબોહવા ફેરફારની દુષ્ટ અસરોના કારણે અસર પામનાર વિસ્તારોની યાદી ધરાવતો એક અહેવાલ જાહેર કર્યો છે.
આબોહવા થી સૌથી વધુ અસર પામી શકે તેવા રાજ્યો મા ઝારખંડ, મિઝોરમ, ઓડિશા, છત્તીસગઢ, આસામ, બિહાર, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ નો સમાવેશ થયો છે. કેંદ્ર સરકાર ના અહેવાલ મુજબ આ રાજયો એ આગોતરા સાવધાની ના પગલાં લેવાની યાદી આપેલ છે અને અન્ય જીલ્લા ઓ અને રાજયો ને પણ અસર થી બચી નહી શકે.
વિશ્વ આબોહવા જોખમ મા ભારત નો ક્રમ 7 મો છે જે વાવાઝોડા અને પુર જેવા વિનાશો ને આધારે તૈયાર કરાયો છે અને જો પ્રદુષણ ને નિયંત્રણ મા લેવામા નહી આવે તો દેશ મા વર્ષ 2040 અને 2079 વચ્ચે તાપમાન મા 2 ડીગ્રી નો વધારો થશે.
આ ઉપરાંત ભારત વસ્તી ની મા નંબર એક પર આવી જશે. અને વિશ્વ બેંક ની આગાહી મુજબ ઈંશાન ભારત મા વારંવાર દુકાળ આવશે અને ઉત્તર ભારત વારંવાર વરસાદ થી વંચિત પણ રહેશે. આ અહેવાલ ચેતવણી રુપે આપ્યો છે જો યોગ્ય નીતી થી સામનો કરવામા આવશે તો નુકશાન ને 80 ટકા રોકી શકાશે.