Gujarat

બેફામ ટ્રક ચાલકે ગાયો ને અડફેટે લેતા 6 ગાયો ના કરુણ મોત નીપજ્યા

અવારનવાર અકસ્માત ના બનાવો સામે આવતા હોય છે જેમા કોઈ ના કોઈ વ્યક્તિ નો જીવ ગયો હોય છે. અને ક્યારેક બેફામ વાહન ચાલકો નો ભોગ પ્રાણીઓ પણ બનતા હોય છે ત્યારે એક જ સમાચાર મળી રહયા છે જેમાં બેફામ ટ્રક ચાલેકે 6 ગાયો ને અડફેટે લીધી છે જેના કારણે પશુપાલક ના માથે આભ ટુટી પડયું છે.

જાણવા મળતી વિગતો અનુસાર ધોળકા થી ખેડા તરફ આવી રહેલ ટ્રકે 6 ગાય ને અડફેટે લેતા 6 ગાય ના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે આ ઘટના મા ચાલાક ટ્રક ચાલક અને અન્ય એક વ્યક્તિ ની ધરપકડ કરવામા આવી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે ટ્રક ચાલક નશાની હાલત મા હતો. આ બનાવ અંગ ધોળકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પશુપાલક પરિમલભાઈ હરજીભાઈ રબારી (રહે રબારીવાસ)એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જયારે ધોળકામાં મંગળવારે રાતે 9 વાગ્યે પુલેનસર્કલ પાસે તેમજ નવા સ્વામિનારાયણ મંદિર પાસે ટ્રક દ્વારા છ જેટલી ગાયનું એકસીડન્ટ ના કારણે મોત નીપજવ્યું છે. જેની માહિતી મળતા પરિમલભાઈ રબારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને છ ગાયો ને મરેલી હાલત મા જોઈ હતી જ્યારે ટ્રક મીઠીકુઈ સર્કલ પાસે ડીવાઈડર સાથે અથડાઈ હાલતમાં પડેલ હતી.

ટ્રક મા બે ઈસમો હાજર હતા. અને ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી તમને નીચે ઉતારી નામઠામ પૂછતા પોતે પોતાનું નામ શૈલેષભાઈ કાળુભાઈ સંગાડા રહે ગુલાબ બારા પોસ્ટ, જાંબવા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ જ્યારે બીજા ઈસમ હતો. તેને જોતા લાલ નશાયુક્ત હાલતમાંથી તે ઈસમનું નામ પુછતા સુભાષભાઈ ભુરીયા રહે દોતક તાલુકો રામાપુર જિલ્લો જમવાદોતડ મધ્ય પ્રદેશ હોવાનું જણાવ્યું હતું. આ ઘટના ની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને બન્ને ઈસમો ને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવા મા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!