Health

સ્વાદિષ્ટ અથાણુ જેમાંથીબને છે, એવા ગુંદા આ રોગોમાં રામબાણ ઉપાય છે.

હાલમાં અથાણાની સિઝન ચાલી રહી છે, ત્યારે ગુંદાનું અથાણું આપણે સૌ શોખ થી ખાઈએ છીએ પરતું આજે આપણે સ્વાથ્યનાં લાભ સાથે ગુંદાનાં આયોગ્યવર્ધક લાભ વિશે જાણીશું. ચાલો ત્યારે જાણીએ કે, ક્યાં ક્યાં રોગમાં તે વધુ ફાયદાકારક છે.

મોટો ગુંદો જેનાં અડધાથી એક ઈંચના વ્યાસના કાચા હોય ત્યારે લીલા અને પાકે ત્યારે બદામી વર્ણના ફળ હોય છે. અને બીજો એટલે નાની ગુંદીના નામથી ઓળખાતી. બંનેના ગુણો સરખા છે અને મોટાભાગે મોટા ગુંદાનો જ વધારે પડતો ઊપયોગ થાય છે.

ખૂબ જ ચીકણું ફળ હોવાને કારણે તેને શ્લેષ્માતક કહે છે.તેના ફળનો ઊપયોગ કરતાં પહેલાં તેના ઠળિયા કાઢવામાં આવે છે. અને તેમાં હાથ અડાડ્યા વિના સળી, ચપ્પુ કે અન્ય કોઈ વસ્તુથી કાઢીએ તો જ સફળતા મળે છે. નહીં તો હાથ ચીકણાં થતાં બીજો ગુંદો હાથમાં આવી જ ના શકે તેવી સ્થિતિ પેદા થાય છે.

ઔષધ કરતાં ખોરાક તરીકે વધુ વપરાતાં આ ગુંદાના ઔષધીય ગુણો અને તેના કર્મ વિશે જાણી લઈએ .ગુંદો એ ચીકણ ભા પિચ્છિલ છે .સ્વાદે તે મધુર અને કંઈક અંશે તૂરો છે.તેની છાલ તૂરી અને કડવી છે. પચવામાં મધુર હોવાથી પિત્તશામક અને બૃહણીય ગુણ પણ ધરાવે છે તે ઠંડી પ્રકૄતિ ધરાવે છે ઊપરાંત તેનો મુખ્યત્વે વિષઘ્ન પ્રભાવ છે. મધુર –ગુરુ –સ્નિગ્ધ હોવાને કારણે તે વાત-પિત્ત શામક અને ચીકાશ તથા ગુરુ ગુણને કારણે તે કફવર્ધક છે.પરંતુ તેની છાલ કષાય રસ અને કડવી હોવાને કારણે કફ પિત્તનો નાશ કરનાર છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!