ભાવનગર ના પટેલ યુવાને ઓફિસ મા ગળાફાંસો ખાઈ જીવન ટુકાવી લીધુ ! સ્યુસાઈડ મા એવું લખ્યુ કે દીવસો
ગુજરાતમાં આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યાં છે, ત્યારે હાલમાં જ એક દુઃખદાયી ઘટના બની છે. ભાવનગર શહેરની દેવુબાગ સોસાયટીમાં રહેતા કર્ણવ શિવાભાઇ વસોયા નામના યુવકે ઓફિસમાં જઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ ઘટનાના પગલે પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે આ બનાવ કઇ રીતે બન્યો.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે,કર્ણવ નામનો આ યુવાન રંગરસીયા રાસગરબા નામનું ગ્રુપ ચલાવતા હતો અને ત્રણ મહિના પહેલા જ સગાઈ પણ થઈ હતી પરંતુ કોઈ કારણસર બે મહિના પહેલા જ શરૂ કરેલ પોતાની જ ઓફિસમાં જ ગળોફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધેલ. આ ઘટનાની જ્યારે ઓસફીના મિત્રને થતા જ તેને હોસ્પિટલમાં દાખલ કરેલ પરંતુ ડોકટર યુવાનનો જીવ ન બચાવી શક્ય.
આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોક છવાઈ ગયો હતો. તમને જાણીને પણ દુઃખ થશે કે યુવાને મરતા પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી અને તેમાં એવી વાત કહી કે વાંચીને તમારી આંખમાંથી પણ આંસુઓ સરી પડશે.
આ બનાવ બનતા જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલ જેથી પોલીસે તમામ કાર્યવાહી શરૂ કરી હતી અને આ દરમિયાન જ ઘટના સ્થળેથી જ સ્યુસાઇડ નોટ મળી આવી હતી અને જેમાં યુવાને પોતાની આપવીતી જણાવી હતી.
યુવાને સ્યુસાઇડ નોટમાં લખ્યું કે પપ્પા તમે મમ્મીનું ધ્યાન રાખજો અમે હું તમને અને કાકા કાકી તેમજ દાદાદાદીને બહુ પ્રેમ કરું છું પણ મારા ખરાબ દિવસો ચાલી રહ્યા છે. આટલું લખીને પોતાની ઓફીસે જઈને જીવન ટૂંકાવી લીધું. યુવાને ક્યાં કારણે આત્મહત્યા કરી એ કારણ હજું અકબંધ છે.હાલમાં આ બનાવ અંગે પોલીસે તપાસ હાથધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.