સુરતમાં ફક્ત 12 વર્ષીની આ દીકરીએ વૈભવ વિલાસનો ત્યાગ કરી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો!! ઓડી ગાડીમાં નીકળી તો સૌ કોઈ જોતું રહી ગયું..
સુરત સંયમી જીવનું ધામ છે, અનેક લોકો સંસાર ત્યાગીને મોક્ષના માર્ગ તરફ પર પ્રયાણ કરે છે. હાલમાં જ માત્ર 12 વર્ષની વયે દીક્ષા લેવા માગતી શાહ પરિવારની મુમુક્ષુ પ્રિશા શાહનું દીક્ષા મુહૂર્તની વિધિ ખૂબ જ ધામધૂમથી સુરત શહેરમાં યોજાયેલ. નાની વયે સંસાર અને વૈભવી જીવનશૈલીની મોહ-માયાનો ત્યાગ કરીને સંયમના માર્ગે પ્રયાણ કરશે.
અડાજણ વિસ્તારમાં રહેતી બિઝનેસમેનની 12 વર્ષની દીકરી પ્રિશા શાહ વૈભવી જીવનશૈલી છોડી દીક્ષા અંગીકાર કરશે સૌથી ખાસ વાત એ કે, કારમાં ઘરેથી મુહૂર્ત લેવા પહોંચેલી પ્રિશાને આચાર્ય રશ્મિરત્નસૂરીએ 17 જાન્યુઆરીનું મુહૂર્ત પ્રદાન કર્યું હતું.
ઓડી કારમાં પ્રિશા દીક્ષામુહૂર્ત લેવા માટે જૈનાચાર્ય રશ્મિરત્નસૂરી સમક્ષ પહોંચી હતી.
સંસાર માનવજન્મને સાર્થક કરવું છે. ચરિત્ર સ્વીકારના લાઇસન્સરૂપી ચારિત્ર્યનું મંગલ મુહૂર્ત પ્રદાન કરો. જવાબમાં આચાર્ય રશ્મિરત્નસૂરીએ કહ્યું હતું કે, આ બધા મુમુક્ષુઓ સંયમ પાળતા હોય છે. તેમની સક્રિય અનુમોદના ત્યારે જ થશે કે જ્યારે જીવનમાં નાના-મોટા ત્યાગ અને વિરતિની સાધનામાં આગળ વધીએ.
હૃદયના આશીર્વાદ સાથે 17 જાન્યુઆરી-2024નું મુહૂર્ત બાળમુમુક્ષુને પ્રદાન કરાયું હતું. આ સિવાય આગામી દિવસોમાં સુરતમાં દીક્ષા મુહૂર્તની વણઝાર જોવા મળશે. 17 વર્ષીય મુમુક્ષુ જાન્યા શાહ, 10 વર્ષીય ઝોહી શાહ, મુમુક્ષુ ધ્રુવી શાહ અને મુમુક્ષુ શ્રુતિ શાહને સંયમ મુહૂર્તની તૈયારી કરવામાં આવી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.