Health

અજમા પાન છે , ઉત્તમ ઔષધી જાણો ક્યાં ક્યાં રોગમાં ઉપયોગી છે.

આજે આપણે એક એવી ઔષધિ વિશે વાત કરીશું જે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે. આ ઔષધિનું નામ છે અજમો. અજમામાં પાનનો ઉપયોગ આપણે ખાસ તો ભજીયા બનાવવામાં વધુ કરતા હોઈએ છીએ પરંતુ આ પાન ખાસ તો ગુમડામાં વધુ ફાયદાકારક છે અને જ્યારે પણ ગૂમડું થાય ત્યારે આ પામનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો ત્યારે જાણીએ કે આ પાન બીજા ક્યાં ક્યાં રોગમાં ઉપયોગી નીવડે છે.

અજમો અને અજમાના પાન પ્રાચીન કાળથી આયુર્વેદીક દ્રષ્ટી ખૂબ લાભદાયક છે  જે શરદી ,ઉઘરસ હોય કે પછી શરીરની કોઈ અન્ય બિમારી હોય અજમો તેને નાશ કરે છે તેજ રીતે અજમાના પાન પણ ઘણા ઉપયોગી છે.અજમાના પાનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદા કારક છે જેમાં તે આરોગ્યને તંદુરસ્ત બનાવે છે, પીત્ત, કફ, શરદી, અપચો, ગેસ , આફરો દરેક સમસ્યામાં અજમાના પાન ખબબ જ ફાયદા કરવા છે.

અજમાના પાનને ચાવવાથી અને તેના રસને ગળી જવાથી કફમાં તેમજ શરદી રાહત થાય છે તો બીજી તરફ આ પાનને ગરમ તવીમાં મીઠૂં નાખીને શેકીને ખાવાથી પણ શરદીમાં આરામ મળે છે,આવા તો ઘણાય ઉપયોગ છે જેનાથી શરીરને આરામ મળે છે.

આ સાથે જ જ્યારે તમે ચા બનાવો છો ત્યારે ફૂદિનાના પાનની જેમ અજમાના પાનનો પણ ઉપયોગહ કરી શકો છો જેનાથી ચા ખૂબજ સરસ બને છે અને ગળામાં થતી પીડામાં રાહત આપે છે, ચા માં પાન ઉકળી જવાથી તેનો રસ ચામાં ભળી જાય છે અને તેના ઓષધિય ગુણો આપણા શરીરમાં પ્રવેશે છે, જે શરદી ,ખાંસીમાં રાહત આપે છે, તો હવે આ પાનનો ઉપયોગ જરૂર કરજો.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!