Entertainment

ગુજરાતમાં વરસાદ ની મોટી આગાહી કરી આંબાલાલ પટેલે! જાણો કેવું રહેશે ચોમાસુ.

જગતનો તાત આભની અટારીએ નજર માંડીને બેઠો છે અને બસ એક જ રાહ જોઈ રહ્યો છે કે ક્યારે મેઘરાજા વરસે. સૌ કોઈ ખેડુતો વરસાદના આગમન બાદ વાવણી કરી લીધી અને હવે બસ ત્યારબાદ ખેડૂત રાહ જોઈ રહ્યા છે કે, ક્યારે અષાઢી બીજ આવે અને વરસાદનું આગમન થાય. કહેવાય છે કે, કોટે ટહુક્યા મોર વાદળ ચમકી વીજ,મારા વાલા ને સોરઠ સાંભળ્યો, જોને આવી.”અષાઢી બીજ “

12 તારીખના રોજ રથયાત્રા એટલે કે અષાઢી બીજનું પાવન પર્વ છે અને બસ એક જ આશ છે કે વરસાદનું આગમન થાય બસ એની જ આતુરતા થી રાહ જોવાઇ રહી છે ત્યારે હાલમાં જ ગુજરાતનાં હવામાનના આગાહીના સૌથી પ્રખ્યાત જાણકાર એવા આંબાલાલ પટેલે આજે મહત્વની વાત જણાવી છે જેથી ખેડૂતોમાં ખુશીઓ નો અવસર આવશે.

વાત જાણે એમ છે કે, આંબાલાલ પટેલે સૌ કોઈને જણાવ્યું છે કે 10 જુલાઇ થી ગુજરાત ભરમાં વરસાદનું આગમન થશે તેમજ આગામી સમયમાં 11 અને 12 13 તારીખ પછી સૌરાષ્ટ્ર પંથક તેમજ મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ થવાની શક્યતા છે તેમજ 20 જુલાઈ સુધીમાં અતિ ભારે વરસાદ સર્જાય શકે છે ત્યારે એવું કહેવાય છે કે,સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં તમામ પ્રદેશો અતિવૃષ્ટિ સર્જાસે જેથી ખેડૂતો માટે રૂડો અવસર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!