આખરે તારક મહેતામાં બબીતાજી પાછી આવી! બબીતાજીમાં આવ્યો એક નવો બદલાવ જેને જાણીને તમે ચોંકી જશો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઘણા સમય થી તારક મહેતા સીરિયલમાં મુનમુન દત્તા એટલે કે બબીતા જી આ સિરિયલમાંથી ગાયબ હતા ત્યારે અનેક કારણો બહાર આવી રહ્યા હતા કે, આ સિરિયલ છોડી દીધી છે. પરતું હાલમાં જ તેઓ ફરી આ સિરિયલમાં પાછા પરત ફરી રહ્યા છે, ત્યારે તે ખૂબ જ બદલાઈ ગઈ છે.
આપણે સૌ જાણીએ છે કે, બબીતાએ થોડાં મહિના પહેલાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો અને આ જ કારણથી તે સિરિયલમાં આવતી નહોતી. હમણાં જ મુનમુન દત્તાએ 15 દિવસ પહેલાં જ અંબાજીમાં ભાઈ-ભાભી તથા ભત્રીજી સાથે મા અંબાના દર્શન કર્યા હતાં. અંબાજીમાં દર્શન કર્યા બાદ જ મુનમુન દત્તા તથા અસિત મોદી વચ્ચે ફોન પર વાત થઈ હતી. શૂટિંગ શરૂ કર્યું છે.
સિરિયલમાં બબીતાની એન્ટ્રીનો એપિસોડ આ અઠવાડિયે ટેલિકાસ્ટ કરવામાં આવશે. સિરિયલનો આગામી ટ્રેક કોરોનાની વેક્સિન પર છે, જેમાં બબિતા કોરોનાકાળમાં કેવી રીતે વેક્સિન લગાવે છે, તે વાત બતાવવામાં આવશે.હા ખાસ વાત એ છે કે, આટલા સમયગાળામાં મુનમુન દત્તા નો સ્વભાવ એકદમ બદલાઇ ગયો છે. તમામ કલાકારો તથા ક્રૂ સાથે પ્રેમથી વાત કરે છે. મુનમુન સેટ પર ભાગ્યે જ કોઈની સાથે વાત કરતી હતી. જોકે, હવે તેનું વર્તન જોઈને ટીમના કલાકારો તથા ક્રૂ મેમ્બર્સ પણ નવાઈમાં મૂકાઈ ગયા છે.
હાલમાં તો સૌ કોઈ બબીતાજીના વાપસી ની રાહ જોઇ રહ્યા છે. આપણે જાણીએ છે કે, આ સીરિયલમાંથી ઘણા કલાકારો નીકળી ગયા છે કે જેઓ લાંબા સમયથી દેખાતા નથી તેમાં દયાભાભી તેમજ બાવરી અને નટુકકા આ શોમાંથી બહાર છે, ત્યારે હવે બીબીતાજીના સ્ટેટમેન્ટ કારણ તેને શોમાંથી આરામ આપવામા આવ્યો હતો પરંતુ આસિત મોદી ફરી એકવાર શોમાં એન્ટર કરતા હવે દર્શકોમાં ખુશીઓની લાગણીઓ જોવા મળશે.