Entertainment

લોકચાહિતા લોકગાયક સ્વ.લક્ષ્મણ બારોટ કોણ હતા? જાણો તેમના જીવન સાથેની જોડાયેલ આ ખાસ વાતો વિશે, જનમથી જ પ્રજ્ઞાચક્ષુ..

મોત ક્યારે જીવનના ઉંબરે આવીને ઉભું રહી જાય એ કોઈ નથી જાણતું. આજ રોજ ગુજરાતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે અને તેની ખોટ સદાય રહેશે. આજ રોજ શ્રાવણ માસના શુભ અવસરે ભજનના એક યુગનો આજે અંત આવ્યો છે. ભજનના ભીષ્મપિતામહ ગણાતા જામનગરના વતની એવા શ્રી લક્ષ્મણ બારોટનો જીવ શિવમાં ભળી ગયો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે આજ રોજ સવારે પાંચ વાગ્યે ભજનિક લક્ષ્મણ બારોટએ જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. ભજન સમ્રાટ અને સંતવાણીની પરિભાષા આપનાર નારાયણ સ્વામીથી માંડી નવી પેઢીના કલાકારો સાથે લક્ષ્મણ બારોટની જુગલબંધી હતી. ચાલો આજે અમે આપને તેમના જીવન વિષે જણાવીએ કે આખરે જીવનની અંતિમ પળ સુધી સંતવાણી અને ભજનનું રસપાન કરનાર લક્ષમણ બાપુનું જીવન કેવું હતું?

સંગીતના સુર જેમના માટે શ્વાસ હતા એવા લોકગાયક કલાકાર અને ભજનના ભીષ્મપિતામહ ગણાતા લક્ષમણ બાપુ મૂળ જામગરના હતા.તેઓ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા. પોતાની ખામીને તેઓ ક્યારેય પોતાની કમજોરી નથી સમજી કે ન તો ઈશ્વરને ક્યારેય ફરિયાદ કરી હશે કારણ કે ઈશ્વર તેમને આંખોની રોશની ભલે ન આપી હોય પરંતુ સંગીતના સાતો સુરો તેમને કોકિલા કંઠમાં આપ્યા.

પોતાના સ્વરથી તેમને સદાય ભગવાનના ભજનો અને સંતવાણીની સરિતા વહાવી છે, જે સૌ માનવજાતિ માટે અમૃત સમાન ગણાય. આજે તેમનો જીવ ભલે ચાલ્યો ગયો પરંતુ તેઓ પોતાના ભજનો અને સંતવાણી થકી જીવંત છે. ભજનની સાથો સાથ શ્રી લક્ષ્મણબારોટ અને તેમના પ્રજ્ઞાચક્ષુ પત્નીએ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે પોતાનાઓ આશ્રમ બનાવેલ.

લક્ષ્મણ બારોટે ભજનીક નારાયણ સ્વામી પાસે તાલીમ મેળવી હતી અને પરંપરાગત ભજનોને તેમણે લોકપ્રિય બનાવ્યા હતા. હે ઓઢાજી, શ્યામ વિના વ્રજ સૂનું લાગે, આલમની અસવારી, જીવ તું શાને ફરે છે ગુમાનમાં જેવા ભજનો ખુબ જ લોકપ્રિય છે. હવે સદાય આ ભજનો થકી આપણા સૌના હદયમાં જીવંત રહેશે. આજ રોજ કચ્છ ખાતેના આશ્રમમાં તેમની અંતિમવિધિ કરાશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!