GujaratReligious

ભાગ્યે જ કોઈને ખબર હશે, ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવનો ચમત્કાર..

🛕ભવનાથ એટલે ભોળાનાથનું અતિ પ્રિય સ્થાન!ગરવો ગિરનાર શિવજીન કૈલાશ કરતા અતિ પ્રિય એટલે જ તો સદાય ગિરનારના સાનિધ્યમાં રહેવા સ્વંય મહાદેવ ભવનાથરૂપે બિરાજમાન થયા છે.જ્યાં સદાય જય ગિરનારીના નાદ ગુંજતા રહેતા એવું આ ભવનાથ જૂનાગઢવાસીઓનું હ્દય સમાન છે ભોળાનાથની દિવ્ય અનુભૂતિનો અહેસાસ કરાવતું આ પવિત્ર સ્થાન દરેકના હ્નદયને સ્પર્શી જાય છે અને બસ એક સ્વર ગુંજે છે, ” હર હર મહાદેવ ”

સ્વર્ગ થી રળિયામણો એ ગરવો ગિરનાર જ્યાં નવનાથ ચૌર્યાસી સિધ્ધનાં બેસણા છે, એવો આ ગિરનાર પર્વત ભગવાન મહાદેવની વિચરણ ભુમી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ભગવાનને શિવજીને આ સ્થાન કૈલાશ કરતા અતિ પ્રિય હતું. એટલે જ ભગવાન જ્યારે કૈલાશ છોડીને ગિરનારમાં સંતાઈ ગયા ત્યારે દેવી દેવતાઓ તેમને શોધવા ગિરનાર પર્વત પર આવ્યા અને સૌ અહીંયા જ વસી ગયા.

આજે આપણે જાણીશું ગિરનારમાં બિરાજમાન મહાદેવની એક ચમત્કારી વાત વિશે જે ભાગ્યે જ લોકો જાણતા હશે.
ગિરનાર તો સૌ કોઈ જાય છે પરતું કુદરતની સૌંદર્યતાને માણવા માટે! ગિરનાર એક દૈવીય શક્તિ ધરાવતું સ્થાન છે, જ્યાં નીભુમી દેવી દેવતાઓ થી પવિત્ર થયેલ છે અહીંયા કુલ 866 હિન્દુ અને જૈન મંદિરોથી ઢંકાયેલી છે જે શિખર પર ફેલાયેલી છે. અંતિમ શિખર સુધી પહોંચવા માટે વ્યક્તિએ 9999 પગથિયા ચઢવા પડે છે જેને સ્વર્ગની નિસરણી કહેવામાં આવી છે.

અહીંયા શિવજી ભવનાથ સ્વરૂપે બિરાજમાન છે અને દર વર્ષે મહાશિવરાત્રીમાં મેળામાં તેઓ સાક્ષત બિરાજમાન થાય છે. ભવનાથ મહાદેવનાં સાનિધ્યમાં અતી પવિત્ર મૃગી કુંડ આવેલ છે જેમાં સન્નાન માત્ર થી આ ભવના તમામ પાપો માંથી વ્યક્તિ મુક્ત થઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, હાલમાં પણ આ ભવનાથ મંદિરમાં દર વર્ષે ચિરંજીવીઓ પધારે છે. આ પવિત્ર સ્થાનની મુલાકાત અચૂક લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!