India

ટીવી જગત તથા અનેક CID ફેન્સને રડાવી દે તેવી ખબર સામે આવી ! શોના આ દિગ્ગજ અભિનેતાનું થયું 57 વર્ષે નિધન…

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો બૉલીવુડ જગત તથા ટીવી જગતમાંથી અનેક વખત ખુબ જ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે, તમને ખબર જ હશે કે હાલના સમયમાં બૉલીવુડના અનેક એવા કલાકારો તથા અભિનેતાઓ હાલ આ દુનિયામાં રહયા નથી, જેમાં સુશાંત સિંહ રાજપૂત, ઋષિ કપૂર તથા શ્રીદેવી જેવા મહાન અભિનેતાઓ તો કેકે જેવા ગાયકો પણ હવે આ દુનિયામાં રહ્યા નથી.

એવામાં હાલ એક ટીવી જગતને લઈને ખુબ જ દુઃખદ ખબર સામે આવી છે, તમને ખબર હોય તો છેલ્લા થોડાક સમય પેહલા CID શો આવતો હતો જે લોકોને ખુબ જ વધારે પસંદ આવતો હતો અને તે સમયમાં તો આ શો ખુબ જ સુપરહિટ રહ્યો હતો કારણ કે દરેક ઘરમાં આ શોને ખુબ જ પસંદ કરવામાં આવતો, એવામાં આ શોની સફળતામાં જો કોઈનો સૌથી મોટો હાથ હોય તો આ શોના કલાકારો નો છે, આ શોના તમામ કલાકારોએ એટલી જોરદાર એક્ટિંગ કરી હતી કે હાલ દરેકના મનમાં હજુ આ શો ગુંજી રહ્યો છે.

એવામાં આ શોના જ કલાકારને લઈને એક હાલ દુઃખદ ઘટના સામે આવી છે, તમે જો સમાચાર પત્રો કે સોશિયલ મીડિયા પર ન્યુઝ વાંચતા હશો તો તમને ખબર જ હશે કે “CID” માં ફ્રેડ્રિક્સનું પાત્ર ભજવનાર દિનેશ ફડનીસને “તુંગા હોસ્પિટલ” ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, એવામાં ખબર સામે આવી છે કે કાલે રાત્રે એટલે કે 4 ડિસેમ્બરના રોજ તેઓનું નિધન થયું હતું, આ ખબર સામે આવતા જ હશે સૌ કોઈ દુઃખમાં ગરકાવ થયું હતું જયારે આ શોની ટિમ તો ઘરે હાજર રહી હતી.

મીડિયા રિપોર્ટ દ્વારા સામે આવ્યું છે કે દિનેશ ફડનીસ લીવર ડેમેજની બીમારીથી પરેશાન હતા જે વેન્ટિલેટર પર હતા પરંતુ હવે તેમના નિધનની ખબર સામે આવતા સૌ કોઈ દુઃખમાં ગરકાવ થયા હતા. તમને જણાવી દઈએ કે દિનેશ ફડનીસના પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો, એક દીકરી એમ કરીને બે સંતાનો છે જે હાલ પિતા વિહોણા બન્યા છે.

તેઓના મૃત્યુની ખબર તેમના જ સાથી કલાકાર એવા દયાનંદ શેટ્ટીએ મીડિયા સમક્ષ કરતા કહ્યું હતું “હા તેઓ નથી રહ્યા,તેઓનું નિધન લગભગ 12:08 વાગ્યાના સમયગાળામાં થયું હતું, હું તેમના આવાસ પર છું અને તેમનો દૌલત નગર શમશાન ઘાટ ર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!