Gujarat

ઉદ્યોગપતિ યુવાન ઘર તરફ જતો હતો ને રસ્તામાં કોર્પોરેશનના સફાઇ મશીનની અડફેટે આવતા થયું નિધન.

હાલમાં જ વડોદરામાં એક ખૂબ જ દુઃખ ભરી ઘટના ધટી જેનાથી પરિવારે પોતાનો યુવાન પુત્ર ગુમાવવો પડ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે અને આંખમાંથી આંસુઓ આવી જશે કે, પરિવારે પોતાની નજર સામે જ દીકરાને મરતા જોયો. ખરેખર ભગવાને આ પરિવાર ઉપર ખૂબ જ મોટું દુઃખ આપ્યું છે. ભગવાન આ યુવાનની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના કરીએ.

સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અડધી રાત્રે પોતાની એક્ટીવા લઇ વડસર બ્રિજથી ઘર તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન રોડ ઉપર સફાઇ કરતા કોર્પોરેશનના સફાઇ મશીને તેને અડફેટમાં લેતા મોત નીપજ્યું હતું. મકાન પાસે જ આ બનાવ બનતા પરિવારજનો અને સોસાયટીના લોકો સ્થળ પર દોડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પુરવાર થયેલ સફાઇ મશીન કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

કોર્પોરેશનના સફાઇ મશીનની અડફેટે આવી જતાં નીપજેલા મોતને પગલે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ બનાવને પગલે લોકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં માંજલપુર પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી.આ યુવક ઉધોગપતિ હતો અને વડસર પાસે આવેલ બી-33, આશ્રય ટેનામેન્ટમાં 26 વર્ષિય અંકિત પ્રકાશચંદ્ર પંચાલ પરિવાર સાથે રહે છે. અને મકરપુરા જી.આઇ.સી.માં કંપની ધરાવે છે, પરતું હવે જુવાન પુત્રનું દુઃખ નિધન થતા જ પરિવાર ઉપર તો જાણે આભ ફાટી પડ્યું હતુ. કહેવાય છે ને કે, ભગવાન ની ઈચ્છા સામે આપણે કંઈ ન કરી શકીએ.ભગવાન આ યુવાનની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!