Gujarat

ડાયમં કીંગ ગોવિંદભાઈ ધોળકીયાએ પોતાના કર્મચારીઓ ને દીવાળી બોનસ મા એવી વસ્તુ આપી કે વખાણ કરતા થાકી જશો ! જાણો શુ…

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓ માથી એક ગોવિંદભાઈ ધોળકીયા જેઓ સુરત ના ડાયમંડ કીંગ તરીકે પણ ઓળખાઈ છે. ગોવિંદભાઈ ધોળકીયા હંમેશા પર્યાવરણ અને સમાજ ની ચિંતા કોઈક ને કાઈક સમાજ ને અર્પણ કરતા રહે છે જ્યારે થોડા દિવસ પહેલા જ એક જાહેરાત કરી હતી જેમા તેણના મુળ વતન દુધાળા ગામ ના દરેક ઘરે સોલાર આપવાની વાત કરી હતી જયારે હવે પોતાના 1000 કર્મચારીઓ ને દીવાળી ના ભેટ સ્વરુપે સોલર પેનલ આપવાની વાત સામે આવી છે.

આપણા ધર્મ અને સમાજ મા દીવાળીનુ ઘણુ મહત્વ છે ત્યારે દરેક શેઠ પોતાના કર્મચારીઓ ને દીવાળી બોનસ મા કાઈક ને કાઈક આપતા હોય છે ત્યારે રામકૃષ્ણ એક્સપોર્ટ્સ ફાઉન્ડરગોવિંદભાઈ ધોળકીયા એ પોતાના 6000 કર્મચારીઓ માટે એક સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો હતો અને તેમા થી 1 હજાર કર્મચારીઓને તેમના પર્ફોમન્સ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રૂફટોપ સોલાર ભેટમાં આપવામાં આવ્યા છે જેથી કર્મચારીઓ ને આગામી સમય મા લાઈટ બિલ નહી આવે અને પર્યાવરણ ની પણ જાળવણી થશે.

આ અંગે ગોવિંદકાકાએ જણાવ્યું હતું કે, “SRK કંપનીએ હંમેશાં સમાજ અને પર્યાવરણને કંઇક પરત આપવા પ્રયાસ કર્યા છે. કંપનીની વિચારધારાએ SRKને વૈશ્વિક સ્તરે વિશ્વાસપાત્ર અને સન્માનીય લીડર બનવા સક્ષમ બનાવી છે. સ્ટાફ મેમ્બર્સનું ટિમ વર્ક, સાથ- સહકારની ભાવના વગર આ સફળતા શક્ય બનતી નથી. કર્મચારીઓ આ સોલાર રૂફટોપ દ્વારા પર્યાવરણને પણ ખૂબ મદદરૂપ થશે. આગામી સમયમાં આ રૂફટોપ સોલાર દ્વારા કર્મચારીઓને વર્ષો સુધી વીજ બિલમાંથી મુક્તિ મળશે અને એક રીતે પર્યાવરણને પણ તેઓ લાભ કરતા સાબિત થશે.

જ્યારે આ અંગે રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પાર્ટનર જયંતી નારોલાએ જણાવ્યું હતું કે, “SRK હંમેશા તેના પરિવારના સભ્યો સાથે-સાથે પર્યાવરણની સુરક્ષા અને સલામતીને મહત્વ આપે છે અને એટલે જ દિવાળીની ઉજવણીના પ્રસંગે કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા અને સિદ્ધિઓને બિરદાવવા આ ભેટ આપી રહ્યા છે. સાથે સાથે SRK કંપનીએ ભારતના વર્ષ 2030 સુધીમાં આ સિદ્ધિ હાંસલ કરવાના લક્ષ્ય કરતાં છ વર્ષ વહેલા એટલે કે 2024 સુધીમાં તેની બંને ડાયમંડ ક્રાફ્ટિંગ બિલ્ડીંગ માટે ઝીરો એમિશન સુધી પહોંચવાનો સંકલ્પ લીધો છે.

આ પ્રથમ વખત નથી જ્યારે સેવાકીય કાર્ય કર્યુ હોય આ અગાવ પણ ગોવિંદભાઈ ધોળકીયા એ એક્સપોર્ટ્સની સમાજ કલ્યાણની શાખા SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા ઓગસ્ટમાં આવી જ રીતે 750 શહીદ સૈનિકો અને બીજા વીર જવાનો (કોરોના વોરિયર્સ) ઘરે સોલર રૂફટોપ આપવાની જાહેરાત કરી હતી જ્યારે પોતાના મુળ વતન માટે પણ સોલાર સિસ્ટમ ઉભી કરવાની જાહેરાત કરી હતી.

SRK મા કામ કરતા કર્મચારીઓ પોતાને મળેલ દીવાળી બોનસ ખુબ ખુશ જોવા મળી રહ્યો હતા જેમા ના એક કર્મચારી એ જણાવ્યુ હતુ કે ” જો થોડા ઘણા રૂપિયા મળ્યા હોત કે, અન્ય વસ્તુ મળી હોત તો તે લાંબો સમય ના ટકી શકાત. પરંતુ, અમને જે આ દિવાળી બોનસ મળ્યું છે. તે લગભગ બે દાયકા સુધી ઉપયોગી સાબિત થશે અને અમારા ઘરના ખર્ચમાં એટલે કે, લાઈટ બિલનો ખર્ચ ઝીરો આવશે. જેથી આ બોનસને અમે તમામ બોનસ કરતા ઉત્તમ માનીએ છીએ. વળી પર્યાવરણને પણ અમારું આ બોનસ મદદરૂપ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!