Gujarat

મોરારી બાપુએ હાર્ટ એટેકથી બચવા આપ્યો રામબાણ ઈલાજ ,કહ્યું કે રામ નામની તાળી….. જાણો વધુ વિગતે

હાર્ટ એટેક એ એક ગંભીર તબીબી સમસ્યા છે જેમાં હૃદયના સ્નાયુઓને ઓછું અથવા કોઈ પણ પ્રમાણમાં રક્ત પહોંચતું નથી. આનાથી હૃદયના સ્નાયુઓ નુકસાન પહોંચી શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે.

આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આનું કારણ ખરાબ લાઈફસ્ટાઈલ, જેમ કે વધારે વજન, અનિયમિત આહાર, તમાકુનું સેવન, આલ્કોહોલનું સેવન, અને ઊંઘની ખામી છે.

આ કારણે હાર્ટ એટેક ની ગંભીર સમસ્યા ને લઈને મોરારી બાપુએ સતત ચિંતિત રહીને મહુવા ખાતે રામકથાની હાર્ટ એટેક ન આવે તે માટે યોગ્ય સલાહ આપી છે. તેમણે કહ્યું કે, તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ અટેક નહીં આવે.

હાર્ટ અટેકથી બચવા તાળી પાડો, બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો ગાતા હતા તેમને ક્યારેય હાર્ટ એટેક નહોતા આવતા. ગામડાનાં લોકો ગરબા ભજન સમયે ઉલી ઊલી ને તાલી પાડતા હોય છે એને હાર્ટ એટેક નથી આવતો ને આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ. હુ કહું છું તાલી પાડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહિ આવે. હાલમાં આ વાત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!