Gujarat

અમદાવાદમાં જૈન સમુદાયની દીકરીએ નાની વયે સંસારનો મોહ છોડી લીધી દીક્ષા, 2 વર્ષ પેલા જ નક્કી કર્યું હતું કે દીક્ષા લેશે….

હાલમાં જૈન દીક્ષાના અનેક શુભદાયી ઘટના સામે આવતી હોય છે, હાલમાં જ સંસારનો મોહ છોડીને  અમદાવાદના શ્રીપાલભાઈ અને મિતલબેનની દીકરી ભવ્યાકુમારીએ પોતાના મોટા ભાઈ-બહેને સંયમ જીવન અંગીકાર કર્યો
હતો તેમના પગલે પગલે આજે ભવ્યાકુમારીએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી.

જૈન દીક્ષાના ભાગરૂપે  ખૂબ જ ભવ્ય અને જાજરમાન ભવ્ય વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો અને બેઠું વર્ષીદાન આપવામાં આવ્યું હતું. આજે સવારે પણ દીક્ષાર્થીને ખુલ્લી જીપમાં છેલ્લી સંસારી સફર કરાવી હતી. આ ભવ્ય વરઘોડામાં તમામ સ્વજનો હાજર રહ્યા હતા.

આ દિવ્ય દીક્ષા સમારોહમાં જે સાધુ સાધ્વીજી ભગવંતો પોતાની પાસે જે ઉપકરણો રાખે તેની રૂપીયાની ઉંચી બોલીઓ બોલી ભાવીભક્તોએ લાભ લીધેલ. ખરેખર આ દીક્ષા સમારોહ દરેક વ્યક્તિને એક સંદેશ આપે છે કે, જીવનમાં સંસારનો મોહ છોડવો અશક્ય છે પણ વ્યક્તિ પ્રભુમાં પોતાનું જીવન સમર્પિત કરી દે તો જીવન ધન્ય બની જાય છે, ખરેખર આ એક દિવ્ય પળ કહેવાય જ્યારે વ્યક્તિ સંયમ માર્ગે આગળ વધે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!