Gujarat

જામનગરમાં યુવક-યુવતીનો જન્મો જન્મ નો સાથ રહી ગયો ! યુવતીને શોક લાગતા મૃત્યુ થયું તો તેનો મંગેતર આઘાત સહન ન કરી શક્યો અને…

મિત્રો દિવાળી તથા બેસતા વર્ષના દિવસે ગુજરાત રાજ્યમાંથી અનેક એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી હતી જેના વિશે જાણીને આપણા પણ હોશ જ ઉડી ગયા હતા, અમુક હાર્ટઅટેકની તો અમુક ઘટનાઓ દાઝવા કે આગ લાગવાની સામે આવી હતી એવામાં અમે એક ખુબ જ દુઃખદ ઘટના વિશે જણાવાના છીએ જેના વિશે જાણ્યા બાદ તમારી પણ આંખો માંથી આંસુ જ સરી પડશે.

આ પુરી ઘટના જામનગર જિલ્લામાંથી સામે આવી છે જ્યા બેસતા વર્ષના દિવસે યુવતીને વીજ કરન્ટ લાગ્યો હતો જેમાં સગાઈ થયેલ યુવતીનું કરુણ મૌત નીપજ્યું હતું એવામાં પોતાની મંગેતરની મૌતની ખબર યુવક સાંભળતા જ આઘાતમાં ચાલ્યો ગયો હતો જેને લઈને યુવકે પણ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, આ ઘટના સામે આવતાની સાથે જ પરિવારજનો પર તહેવારની ખુશીઓ પર દુઃખનું મોજું ફરી વળ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ પુરી ઘટના જામનગર જિલ્લાના હાપાના યોગેશ્વર ધામમાં રહેતા વિક્રમ રાઠોડ(ઉ.વ.30) ની 8 માસ પેહલા જ હર્ષિતા ઠાકોર નામની યુવતી સાથે સગાઈ થઇ હતી,એવામાં બેસતા વર્ષના દિવસે જયારે હર્ષિતા ન્હાવા માટે પાણીગરમ કરવા માટે ગઈ હતી ત્યારે તે ગીઝરને અડી જતા હર્ષિતાને શોક લાગ્યો હતો , જે બાદ તરત જ હર્ષિતાને સારવાર માટે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

જ્યા ફરજબજાવતા તબીબોએ હર્ષિતાને મૃત જાહેર કરતા પરિવાર દુઃખમાં સરકી ગયો હતો જ્યારે મંગેતર વિક્રમને તો એટલો બધો આઘાત લાગ્યો હતો કે તેણે ઘરે જઈને ગળાફાંસો ખાય લીધો હતો, આથી એક જ સાથે બે બે લોકોનું તહેવારના સમયમાં નિધન થતા સૌ કોઈ દુઃખમાં ગરકાવ થયું હતું,આ ઘટનાને લઈને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જે બાદ તેઓએ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!