India

ઘરે લગ્ન ની તૈયારીઓ ચાલી રહી હતી અને જવાન દેહ ત્રિરંગા મા લપેટાઈ ને આવ્યો, શહીદ જવાન અમર રહો…

જો આપણે દરેક તહેવારો આપણા પરીવાર સાથે આંનંદ થી માણી શકતા હોય. તો એ આપણા વિર જવાનો ને કારણે… આપણા વિર જવાનો પોતાના પરીવાર થી દુર રહી અને આપણી રક્ષા કરે છે અને ઠંડી ગરમી કશું જોયા વગર ફરજ બજાવે છે અને દુશ્મન દેશ ની ગોળી ઓ નો સામનો કરે. આજે આવા જ એક સમાચાર મળ્યા છે જેમાં એક જવાન દેશ ની રક્ષા કાજે શહિદ થયા છે.

ભારત અને પાકિસ્તાન ની બોર્ડર પર અવારનવાર પાકિસ્તાન ગોળીબાર કરે છે ત્યારે ફરી આવી નાપાક કરકત પાકીસ્તાને કરી છે જેમા જમ્મુ અને કાશ્મીર ના રાજૈરી સેક્ટર અને બાલાકોટા એ સીઝફાયર નુ ઉલંઘન થોડા દિવસ પહેલા કર્યુ હતુ. પાકિસ્તાન તરફ થી કરવામાં આવેલી અચાનક ગોળીબારી મા આપણા વિર જવાન સિપાહી રોહિન કુમાર ને ઘણી ઈજાઓ પહોચી હતી અને તેને તાત્કાલીક સેના ની હોસ્પિટલ મા પહોંચાડવામા આવ્યા હતા. જયા એવો શહીદ થયા હતા.

સેના ના પ્રવક્તા લે. કર્નલ દેવન્દ્ર જવાન શહીદ થયા ની પુષ્ટી કરી હતી. મુળ હિમાચલ પ્રદેશ ના રહેવાથી રોહિન કુમાર ના બે મહિના પછી લગ્ન હતા. પાકિસ્તાન તરફ થી કરવામાં આવેલા ગોળીબાર નો જવાબ ભારતે આપ્યો હતો. જેમા અંદાજે પાંચ પાકિસ્તાની જવાનો ઘાયલ થયા હતા. છેલ્લા બે મહીના મા પાકિસ્તાન દ્વારા પુંછ અને રાજૈરી સીમારેખા મા પાકિસ્તાન તરફ થી કરવામાં આવેલ ગોળીબાર મા સાત ભારતીય જવાન શહિદ થયા છે.

આ ઉપરાંત પાકિસ્તાને બારુમુલા અને ઉરી સેક્ટર પર સીઝફાયર નુ ઉલંઘન કર્યુ હતુ. જેમા એક સામાન્ય નાગરિક નો જીવ ગયો હતો છેલ્લા ઘણા સમય થી પાકિસ્તાન તરફ થી આ રીતે નાપાક હરકતો કરવામા આવી હતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!