Gujarat

પ્રમુખ સ્વામીજીનાં સંગમાં આવતા દિલીપ જોશીનું જીવન બદલાઈ ગયું!બાપાએ આપ્યાં આવા આશીર્વાદ કે આજે પણ…

જેઠાલાલ! એક એવું પાત્ર જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક દેશોમાં લોકપ્રિય બની ગયું છે. ખરેખર જેઠાલાલ એક એવું પાત્ર છે જે બાળકો થી લઈને વૃદ્ધ લોકોને પણ પસંદ છે. દિલીપ જોશીનો આવડત તેમનું વ્યક્તિત્વ અને સૌથી પ્રબળ તેમનું સત્સંગીપણું જેના લીધે તેઓ આ મુકામ પર છે. ખરેખર આટલી સફળતા તેમને એમજ નથી મળી જતી તેની પાછળ જીવનમાં અનેક સંઘર્ષ કરીને આ સફળતા મેળવી હોય છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે જે વ્યક્તિ ખરાબ દિવસો માંથી પસાર થઈને જે સફળતા પ્રાપ્ત કરે છે તેના જીવનમાં બધું ક બદલાઈ જાય છે.દિલીપ જોશીના જીવમમાં પણ એક બદલાવ એવો આવ્યો કે એનું પરિણામ આપણા સૌ સમક્ષ છે. ઘણા લોકો નહિ જાણતા હોય કે દિલીપ જોશી સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત સત્સંગીઅને તેબાપાનાં દર્શનથી દિવસની શરૂઆત કરવી અને બાપા જ્યાં બિરાજતા હોય ત્યાં નિયમિતપણે જઈને દર્શન કરી તેમના આશીર્વાદ લેતા રહેવા એ દિલીપ જોષીનો નિયમ રહ્યો છે અને તેઓ દાદારના સ્વામીનારાયણ મંદિરમાં ક્યારેય રવિસભા ચૂકતા નથી.

અહીંયા થી તેમના જીવનની એક નવી શરૂઆત થઈ હતી.તેમના મિત્રના લીધે દિલીપ ભાઈ સ્તસંગમાં જોડાયા અને જ્યારે તેમણે પહેલીવાર સભામાં બેઠા ત્યારે તેમના જીવનના દરેક પ્રશ્નો જવાબ મળ્યો અને ખરેખર તેઓ નિયમિત રીતે પમુખ સ્વામી સાથે જોડાવા લાગ્યા અને તેઓ સત્સંગી બન્યા કે તેમણે તારક મહેતા સીરીયલનું કામ મળ્યું અને આ વાત ને લઈને દિલીપ જોશી કહ્યું કે આજે હું જે પણ કંઈક છું તેનો શ્રેય માત્ર પરમ પૂજ્ય પમુખ સ્વામી મહારાજ છે. એમ પણ કહ્યું કે હું સત્સંગમાં જોડાયો એના પ્રસાદી રૂપે સ્વામીજી મને આ સિરિયલ આપી અને સિરિયલ એવી આપી કે મારી જીવન ભરની કસર ટાળી નાખી. એમ ખાસ કહ્યું હતું કે સાચા હૃદયથી તેમનું સ્મરણ કરવાનું. પ્રમુખસ્વામી મહારાજની ક્યાંય ગેરહાજરી સાલશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!