ખોડલ ધામ માતાજી ને એક પરીવારે પાંચ તોલા નો હાર અર્પણ કર્યો જેની કીંમત
રાજકોટ ખાતે આવેલા ખોડલ ધામ નો અનેરો મહિમા છે અનેક ભક્તો પોતાના માથુ ટેચવે છે અને માતાજી ના આશીર્વાદ મેળવે છે જ્યારે ઘણા ભકતો માતાજી ને કાઈ ને કાઈ ભેટ અર્પણ કરે છે ત્યારે રાજકોટમાં રહેતા કોરાટ પરિવારે માતા ખોડલને પાંચ તોલાનો સોનાનો હાર અર્પણ કર્યો છે. આ સાથે ધ્વજા અને વાઘા પણ અર્પણ કર્યા છે
રાજકોટ મા રહેતા કોરાટ પરીવાર માતાજી મા અનેરી આસ્થા ધરાવે છે કોરાટ પરીવાર ના સ્વ. દામજીભાઈની ની જીવતા જીવે એવી ઈચ્છા. હતી કે માતાજી ને પાંચ તોલા સોનું અર્પણ કરવુ છે. જયારે તેમના પરોવારજનો દ્વારા તેમની ઈચ્છા પૂરી કરવા માટે તેવો એ પાંચ તોલા નો સોના નો હાર માતાજી ને અર્પણ કર્યો હતો. અને માતાજી ને પ્રાથના કરી ને માતાજી ના આશીર્વાદ લીધા હતા.
હરેશભાઈ નામના એક પરિવારજને કહ્યું હતું કે, સ્વ.દામજીભાઈ મારા મામા થાય. એમની ઈચ્છા અહીં ધ્વજારોહણ કરવાની હતી. પણ એમનું નિધન થતા આ ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. જે ઈચ્છા પૂરી કરવા માટે સોનાનો હાર તથા ધ્વજા અર્પણ કર્યા છે. ખોડલધામ મંદિરના પૂજારીએ કહ્યું કે, કોરાટ પરિવારે આ દાન કર્યું છે. સહપિરવાર સાથે ધ્વજા અર્પણ કરવામાં આવી છે. આ સાથે તેમણે માતાજીના વાઘા પણ આપ્યા છે. બીજી તરફ સોમનાથ મંદિરમાં પણ સોમનાથમાં પણ પાર્વતી મંદિર બનાવવા માટે સુરતના ઉદ્યોગપતિએ રૂ.30 કરોડનું દાન કર્યું છે.
સુરત ના આ ઉદ્યોગપતિ નુ નામ ભીખાભાઈ ધામેલીયા છે. સૌ પ્રથમ વર્ષ 2012માં તેમણે પાર્વતી મંદિર તૈયાર કરવાની વાત સોમનાથની ટ્રસ્ટીઓને કરી હતી. સૌરાષ્ટ્રના બે મોટા મંદિરમાં મસમોટું દાન મળ્યું છે