વડોદરા પોલીસ બેડામાં શોકનો માહોલ , ચાલુ ફરજમાં SRP એ સર્વિસ રાઇફલથી જીવન ટૂંકાવી લીધું, આપઘાતનું કારણ….જાણી ચોંકી જશો
આત્મહત્યાના અનેક બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,
વડોદરા શહેરમાં SRP ગ્રુપ 1માં ફરજ બજાવતા જવાને પોતાની ફરજ દરમિયાન સર્વિસ રાઇફલ વડે ગોળી મારી પોતાનું જીવન ટૂંકાવી લીધું.
જાણવા મળ્યુ છે કે, તે ઘણા વર્ષોથી બીમાર હોવાના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું હશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, પ્રવીણભાઈ બારિયાએ ફરજ દરમિયાન પોતાની સર્વિસ રાઇફલ વડે સુસાઈડ કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યા કયાં કારણોસર કરી છે એનું સાચું કારણ અકબંધ છે.
આ દુઃખદ ઘટનાના પગેલે હપરિવારમાં પત્ની અને ત્રણ સંતાન તો સાવ આધાર વિનાના થઈ ગયા. પરિવાર શોકમગ્ન બની ગયું, ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે, જીવનમાં અનેક પ્રકારની સમસ્યા હોવા છતાં પણ ક્યારેય આત્મહત્યા જેવું પગલું ન ભરવું જોઈએ.
હાલમાં તો ઓફિસરની અણધારી વિદાયથી પરિવાર જનોમાં સહિત પોલિસ બેડાં શોકનું માહોલ છવાઈ ગયો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતક જવાનના અંતિમસંસ્કાર પોતાના વતન નર્મદા જિલ્લાના ફતેપુર ગામ ખાતે કરાશે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ મળે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.