જમીનમાંથી સોના ચાંદી-હીરા નીકળા એ મંદિરમાં ભગવાન પરશુરામનું પરશુ જોવા મળે છે, જેને કાઢતા થયો હતો આ ચમત્કાર…

ભારત ની ધરતી એટલે હિન્દૂ દેવી દેવતા ઓ થી પવિત્ર થયેલ ધરા! આજે ભારતમાં એવા સ્થાનો આવેલા છે, જ્યા આજે પણ એ તમામ દેવી દેવતાઓના અવશેષો મળે છે અને તેમનો પરચો સદાય લોકો ને જોવા મળે છે. ખરેખર આજે આપણે વાત કરીશું ભગવાન વિષ્ણુ ના અવાતર એવા પરશુરામ ભગવાન છે.જમદગ્નિ ઋષિ અને રેણુકાપુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી.

આજના સમયમાં તેમનું પરશુ ભારતના એક મંદિરમાં છે. ઝારખંડનાં થી 150 કી.મી દૂર ગુમલા જિલ્લાના પર્વતમાં એક ટાંગીધામ આસલ ચેમ જ્યા ભગવાન પરશુરામ નું પરશું છે. આટલા વર્ષો પછી પણ એ પરશુમા કંઈ થયું નથી. ખરેખર આ એક અદભુત ચમત્કાર છે. આ મંદિરની ખૂબ જ રોચક વાત પણ છે. એ તમે જાણશો તો આશ્ચય પામશો. ખરેખર જાણવા જેવું છે.

એવું માનવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિ જે આ પરશુને લેવાનો પ્રયાસ કરે છે તેનું ભયંકર પરિણામ ભોગવવું પડે છે. કહેવાય છે કે એક વખત લુહાર આદિજાતિના કેટલાક લોકોએ કુહાડીને જમીન પરથી બહાર કાવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે કુહાડી ઉખાડવામાં ન આવી ત્યારે તેઓએ તેનો ઉપરનો ભાગ કાપી નાખ્યો. પરંતુ તેઓ આ ભાગ લેવામાં અસફળ રહ્યા હતા.

એવું કહેવાય છે કે આ ઘટના પછી, નજીકમાં રહેતા લુહાર આદિજાતિના લોકો એક પછી એક મરવા લાગ્યા, જે પછી તેઓએ આ વિસ્તાર છોડી દીધો. આજે પણ આ જનજાતિના લોકો આસપાસના ગામોમાં રહેવાથી ડરે છે.
તમને જાણીને એ વિચાર આવ્યો હશે કે આ જગ્યામાં જ કેમ પરશુ છે. તેની પાછળ એક કથા છે.ત્રેતાયુગમાં જનકપુર ખાતે માતા સીતાના સ્વયંવર દરમિયાન, જ્યારે ભગવાન રામે શિવનું ધનુષ્ય તોડ્યું હતું, પરશુરામ જી તેનો ભયંકર અવાજ સાંભળીને ગુસ્સામાં જનકપુર પહોંચ્યા હતા અને ભગવાન રામ અને લક્ષ્મણને ઓળખ્યા વિના કટુ વચન કહ્યા.

તેમને ખ્યાલ આવ્યો કે રામજી ભગવાન વિષ્ણુના અવતાર છે, ત્યારે તેઓ ખૂબ જ શરમ અનુભવતા હતા અને તેમની ક્રિયાઓનું પ્રાયશ્ચિત કરવા માટે ગાઢ જંગલો વચ્ચે એક પર્વત પર ગયા હતા. ત્યાં તેણે પોતાની પરશુ દફનાવી અને તપસ્યા કરવા લાગી. આ જ સ્થળ આજે ટાંગીનાથ ધામ તરીકે ઓળખાય છે. એવું કહેવામાં આવે છે કે રાખ સિવાય, ભગવાન પરશુરામના પગના નિશાન પણ ત્યાં હાજર છે.

ટાંગીનાથ ધામમાં સેંકડો શિવલિંગ અને પ્રાચીન મૂર્તિઓ પણ છે અને તે પણ ખુલ્લા આકાશ નીચે. એવું કહેવામાં આવે છે કે વર્ષ 1989 માં પુરાતત્વ વિભાગે અહીં ખોદકામ કર્યું હતું, જેમાં હીરા જડિત તાજ અને સોના -ચાંદીના ઘરેણાં સહિત ઘણી કિંમતી વસ્તુઓ મળી આવી હતી. જોકે, બાદમાં ખોદકામ અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે આ પાછળનું કારણ શું હતું, તે આજે પણ રહસ્ય છે. સાથે જ ખોદકામમાં મળેલી વસ્તુઓ હજુ પણ ડુમરી પોલીસ સ્ટેશનના માલખાનામાં રાખવામાં આવી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *