Gujarat

મુકેશ અંબાણી એ રિલાયન્સનાં જે કર્મચારીઓ કોરોનાં મૃત્યુ પામ્યા હોય તેમના પરિવારને 5 વર્ષ સુધી પગાર આપશે અને શિક્ષણનો ખર્ચ ઉઠાવશે.

દેશનાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી હાલમાં ખૂબ જ ચર્ચામાં છે! આ વખતે તેનું કારણ તેમનું વધુ સંપત્તિવાન બનવાનું નથી પરંતુ આ વખતે તેમને એવું કાર્ય કર્યું છે કે સૌ કોઈ ચોકી ગયા છે. અત્યાર સુધી કોઈ આવી કંપની નહીં હોય જેને આવું સરહાનીય કાર્ય કર્યું હશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે રિલાયન્સ કંપની કોરોના કાળમાં ઓક્સિજન પૂરું પાડ્યું છે તેમજ 1000 બેડની સુવિધવાળું હોસ્પિટલ પણ લોકોને આપ્યું છે.

આ તમામ કાર્યો માટે સામાન્ય વ્યક્તિઓને ખૂબ જ મદદ મળી હતી અને હવે કંપની એવું પગલું ભર્યું છે કે તેમના કર્મચારીઓનાં પરિવારને ખૂબ જ લાભ મળશે. વાત જાણે એમ છે કે, મુકેશ અંબાણી જાહેર કર્યું છે કે જે કર્મચારીઓનું મૃત્યુ કોરોના લીધે થયું હશે તેમના પરિવારને 5 વર્ષ સુધી ફૂલ સેલેરી ચૂકવાના આવશે તેમજ તેમના બાળકો જ્યાં સુધી સ્નાતક અભ્યાસપૂર્ણ ન થાય ત્યાં સુધી શિક્ષણનો ખર્ચ ચૂકવામાં આવશે..
.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, કોરોનાની મહામારીમાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેવા વ્યક્તિઓને આ સહાય થી ખૂબ જ લાભ થશે તેમજ મુકેશ ભાઈની આ કાર્ય ન લીધે તેમના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં તેમનાં વખાણ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!