Gujarat

રાજસ્થાનની આ ઘટના એ કિશન ભરવાડની યાદ તાજા કરવી દીધી ! જાણો શુ ઘટના બની…?

હાલ ના સમય મા ધાર્મિક કટ્ટરતા સતત વધવા લાગી છે જેના કારણે દેશ મા વાતાવરણ સતત ખરાબ થય રહ્યુ છે ત્યારે થોડા મહીના અગાવ જ ઘંઘુકા મા કિશન ભરવાડ નામ ના યુવાન ની જાહેર મા હત્યા કરી દેવા મા આવી હતી જેના પડઘા સમગ્ર દેશ મા પડ્યા હતા ત્યારે ફરી એક આવી જ ઘટના રાજસ્થાન ના ઉદયપુર મા બનતા ચકચાર મચી જવા પામ્યો હતો.

જો ઘટના અંગે વિગતે વાત કરીએ તો ગત 25 જાન્યુઆરીના રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે કિશન ભરવાડની હત્યા થઈ હતી. હત્યા પાછળ નુ કારણ એક સોસીયલ મિડીઆ પર કરેલી પોસ્ટ હતી ત્યારે હાલ રાજસ્થાન ના ઉદયપુર મા એક દુકાનદાર ની હત્યા કરવા મા આવી છે તેમા પણ સોસીયલ પોસ્ટ ને લીધે હત્યા થઈ છે તેવી વિગત પ્રાથમીક તપાસ મા સામે આવી હતી.

ઉદયપુર મા જે વ્યક્તિ ની હત્યા કરવામા આવી છે તેનુ નામ કન્હૈયાલાલ જાણવા મળ્યુ હતુ. 10 દિવસ પહેલા નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર કન્હૈયાલાલની તાલિબાની રીતે હત્યા કરવામાં આવી હતી. ગૌસ અને રિયાઝ નામના ઈસમો મંગળવારે તેની દુકાનમાં પ્રવેશ્યા હતા.બાદ મા તેના પર તલવારથી ઘણી વાર પ્રહાર કર્યા અને તેનું ગળું કાપી નાખ્યું.

મંગળવારે પોલીસે બંને આરોપી ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બરની રાજસમંદથી ધરપકડ કરી હતી. આ સિવાય અન્ય 3 લોકો પણ પોલીસના હાથે ઝડપાયા છે. બંને હત્યારાઓ વિરુદ્ધ આઈપીસીની અનેક કલમો હેઠળ અનલોફુલ એક્ટિવિઝમ (યુએપીએ) એક્ટ સહિત કેસ નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!