કરોડો રૂપિયાની નેટવર્થ હોવા છતાં મુકેશ અંબાણીની સાદગીને સલામ કરશો, દીપ પ્રાગટ્ય વેળાએ પોતાના બુટ ઉતાર્યા.. જુઓ વિડીયો..
માણસ માત્ર પૈસાથી નહીં પરંતુ પોતાના સંસ્કારથી સાચો ધનાવન હોય છે. ખરેખર આપણા ભારત દેશમાં મુકેશ અંબાણી જેવું વ્યક્તિત્વ અને સાદગી ભાગ્યે જ કોઈ ઉદ્યોગપતિમાં જોવા મળશે. હાલમાં સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણીનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, મુકેશ અંબાણીને જયારે દીપ પ્રાગટ્ય માટે બોલાવવામાં આવે છે, ત્યારે તેઓ સૌથી પહેલા પોતાના સૂઝ ઉતારે છે, ત્યાર બાદ તેઓ દીપ પ્રાગટ્ય માટે આગળ વધે છે.
આપણે ત્યાં પરંપરા છે કે, ધાર્મિક સ્થાનો પર પગમાં પગરખાં ન પહેરવા જોઈએ, આ વાત દેશના સૌથી ધનિક મુકેશ અંબાણી પણ માને છે. સ્ટેજ પર તેઓ બુટ પહેરીને દીપ પ્રાગટ્ય કરે તો પણ તેમની ઇમેજ પર કોઈ ડાઘ નથી લાગવાનો પરંતુ તેઓ એ લોકોને દેખડાવવા માટે નહીં પરંતુ આપણી પરંપરા અને સંસ્કૃતિના જતન માટે તેમણે સૂઝ ઉતાર્યા, અંબાણી પરિવાર ખુબ જ ધાર્મિક છે, તેઓ શ્રીનાથજી પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. આજના સમયમાં ભાગ્યે જ કોઈ ધનવાન વ્યક્તિ ધાર્મિક હશે.
અંબાણી પરિવાર ડાઉન ટુ અર્થ માણસ છે. જયારે તેમના દીકરાના પ્રિ વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે તેમણે સૌ ગામજનોને પોતાના હાથે ભોજન જમાડ્યું હતું તેમજ તેમણે પણ સામાન્ય માણસની જેમ કોઈપણ જાતની શરમ રાખ્યા વગર હાલતા-ચાલતા હાથમાં ભરેલા મરચા નો સ્વાદ માણ્યો હતો. ખરેખર મુકેશ અંબાણીની સાદગી હંમેશા લોકોનું દિલ જીતી લે છે.
મુકેશ અંબાણીનું વ્યક્તિત્વ એકદમ સરળ અને સાદગીથી ભરપૂર છે, તેઓ ધનવાન તો છે પણ પોતાના સંસ્કારથી વધુ ધનવાન છે. તેઓ ભગવાનને ભેળા રાખીને દરેક કાર્ય કરે છે, જ્યાં ભગવાન સાથે હોય, ત્યારે કોઈપણ કાર્યમાં તમને અસફળતા પ્રાપ્ત નથી થતી. અંબાણી પરિવાર આપણા સૌ માટે એક પ્રેરણા સમાન છે. કારણ કે એતો સેવા એજ પરમ ધર્મ અને માનવ સેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.