India

બે ટ્રેન વચ્ચે થયો ભયાનક અકસ્માત ! 50 થી વધુ ના મોત અને 350 થી વધુ લોકો ઘાયલ થયા…

ભારતનો કાલનો દિવસ કાળ બનીને આવ્યો. ઓડિશાના બાલાસોરમાં ભયંકર રેલવે અકસ્માત થયો છે. 50 થી વધુના મોત અને 350 થી વધુ લોકો ઘાયલ થયા. આ ટ્રેન અકસ્માતના કારણે એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર જણાવીએ કે આખરે ક્યાં કારણોસર આ ટ્રિપલ ટ્રેનનો બનાવ બન્યો છે.

આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે હાવડા-બેંગલુરુ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ઓડિશાના બહંગાબજાર નજીકના ટ્રેક પર પડ્યા હતા. આ દરમિયાન બીજો બનાવ એ બન્યો કે, 12841 શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ તે ટ્રેક પર આવી અને પલટી ગયેલા કોચ સાથે અથડાઈ. 15 થી વધારે ડબ્બા નીચે ઉતરી થાય હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેના કારણે અસંખ્ય લોકો મોતને ભેટ્યા.

આ જ કારણે કોરોમંડલના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને બાજુના ટ્રેક પરથી પસાર થતી માલગાડી સાથે અથડાઈ ગયા. આ કારણે ભયંકર ટ્રેન અકસ્માત થયો. જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. આ બનાવ ખરેખર દુઃખદાયી છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક NDRF, રાજ્ય સરકાર અને એરફોર્સે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી.

આ કરુણ દાયક બનાવ અંગે જાણ થતા જ ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા મૃતકના પરિવારને 10-10 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. જ્યારે ગંભીર રીતે ઘવાયેલાં લોકોને 2-2 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. તેમજ પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF)માંથી આપવાની જાહેરાત કરી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!