હિમાલયના પર્વતોમાં શરીર થીજવી દેતી ઠંડીમાં આ સંત કરી રહ્યા છે ઘોર તપસ્યા!! વિડીયો જોઈ તમે પણ કંપી જ ઉઠશો, આધુ શરીર બરફથી ઢકાયું…
હિમાલય ભારતનો સૌથી પવિત્ર પર્વત છે. હિમાલય આર્યોનું આદ્યસ્થાન, તપસ્વીઓની તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાં પાક્યાંનો વિસામો, નિરાશી જનોનું સાંત્વ, ધર્મનું પિયેર, મુમુક્ષુઓની અંતિમ દિશા, સાધકોનો આધાર, મહાદેવનું ધામ અને અવધૂતાની પથારી છે. પુરાણ પ્રમાણે તે અજનાભ અથવા ભારતવર્ષની ઉત્તરે અને હૈમવત અથવા કિંપુરુષની દક્ષિણે એમ એ દેશની વચ્ચે સીમારૂપ આવેલો પર્વત છે.
હિમાલય સાધુ-સંતોની તપો ભૂમિ છે, અનેક યુગોમાં ઋષિ મુનિઓ અને મહાન આત્માઑ હિમાલયમાં તપશ્ચર્યા કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે. હાલમાં એક સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક સંત હિમાલયની ગોદમાં થિજવતી ઠંડી વચ્છે ધ્યાન ધરી રહ્યા છે. આ વાયરલ વિડીયોમાં જોઈ શકશો કે તેઓ સંપૂર્ણપણે બરફની ચાદરથી ઢાંકાય ગયા છે છતાં પણ તેમની સાધનમાં કોઈ ભંગ નથી પડ્યો. ખરેખર ધ્યાનમાં એટલી શક્તિ છે કે, તમે સકલ જગતની શક્તિને પામીને બ્રહ્મ તત્વને પામી શકો છો.
ધ્યાન એટલે શારીરિક અને માનસિક મર્યાદાઓની પરે જવું તે. જ્યારે તમે તમારી પાસે જે શરીર અને મન છે તેના મર્યાદિત દૃષ્ટિકોણને રૂપાંતરિત કરો છો ફક્ત ત્યારે જ તમારી અંદર જીવનનું એક સંપૂર્ણ પરિમાણ હશે.આ વાયરલ વિડીયો જોઈને સૌ કોઈને સમાજાશે કે ધ્યાનમાં કેટલી શક્તિ સમાયેલ છે, જો વ્યક્તિ ધ્યાનમાં લીન થઈ જાય તો તે આત્મા સાથે મેળાપ કરી શકે છે અને આત્મા જ પરમાત્મા સુધી લઈ જાય છે. આ વિડીયો જોઈને તમને પણ ગર્વ થશે કે સનાતન ધર્મમાં કેટલી શક્તિ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.