Entertainment

સાસરિયાના ત્રાસથી કંટાળી વિવાહિતાએ પિયરમાં આવી જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટથી થયો મોટો ખુલાસો

આપણે સૌ કોઈ જાણીએ છે કે, દહેજ નાં લીધે અનેક બનાવ બને છે અને એના લીધે અનેક યુવતીઓ આત્મહત્યા કરી લે છે. ત્યારે હાલમાં જ એક એવો બનાવ બન્યો છે જે, તમારા હદયને સ્પર્શી જશે. ખરેખર આ બનાવ નાં હરિયાણા પંથકમાં શોક છવાઈ ગયો. ખરેખર માણસ પૈસા ન ખાતર માનવતા પણ ભૂલી જાય છે.

વાત જાણે એમ છે કે, હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં ફરી એક વાર દહેજનાકારણે નવવધુ એ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું અન જાણવા મળ્યું કે સાસરિયા વારંવાર મારઝૂડ કરી ત્રાસ આપતા હોવાથી નવપરિણીતાએ પોતાના પિયરમાં જઈને આત્મહત્યા લીધી. આ પહેલા આત્મહત્યા કરતાં પહેલા તેણે પોતાના પરિજનોના નામે એક સુસાઇડ નોટ લખી અને જેમાં સાસરવાળા ને પોતાનું મોત નું કારણ જણાવ્યું.

આ ઘટના લગભગ દોઢ મહિના પહેલાનો છે પરંતુ પોલીસે હવે સાસરિયાઓ વિરુદ્ધ દહેજ હત્યાની કલમો હેઠળ કેસ નોંધી લીધો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, નૈનાના લગ્ન 4 મહિના પહેલા વલ્લભગઢની સંજય કોલોનીમાં રહેતા યુવક સાથે થયા હતા. માહિતી મુજબ, એક પ્લોટ અને 50,000 રૂપિયાની માંગને લઈને સાસરિયાઓએ નૈનાને ખૂબ ત્રાસ આપતા હતા. નૈનાના માતા-પિતા દહેજમાં માંગેલી વસ્તુઓ ન આપી શકવાના કારણે તેની સાથે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા હતા.

પોતાના જીવન થી કંટાળીને જનૈનાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી તો પરિવારના સભ્યોએ જોયું કે તેના શરીર પર ઈજાના ઘણા નિશાન હતા જે સાસરિયાઓની મારપીટના કારણે થયા હતા. પ્રીતિનું માનીએ તો પોલીસે દોઢ મહિના બાદ સાસરિયાની વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી ચાલશે. આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ કે યુવતિની આત્માને શાંતિ મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!