જવાન ના ઘરે માંતમ છવાયો, પતિ ના મોત બાદ પત્ની એ પણ દુનીયા ને અલવિદા કહી દીધુ
આત્મ હત્યા એ સામાન્ય બાબત થય ગઈ હોય એવુ લાગી રહ્યુ છે. છેલ્લા ઘણા સમય થી સતત આત્મ હત્યા ના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશ મા પણ એક એવી જ એક ઘટના સામે આવી છે જેમાં આર્મી મા ફરજ બજાવતા યુવાને આત્મ હત્યા કરી લીધી અને તેના થોડા દિવસ બાદ તેમની પત્ની એ પણ આત્મ હત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો.
ઉત્તર પ્રદેશ ના કોતવાલી દેહાતના બિજોરી ગામના રહેવાસી સૈનિક અરવિંદ ચૌહાણ સૈન્યમાં ડ્યૂટી કરતા હતા. એનું પોસ્ટિંગ છેલ્લે કાશ્મીરમાં થયું હતું. તા.6 ઓગસ્ટના રોજ એમનો મૃતદેહ શિબિરમાં લટકતી સ્થિતિમાં જોવા મળ્યો હતો. અને તેમની પત્ની આરતી હાથે તના લગ્ન 2017 મા થયા હતા. પરંતુ અવાર નવાર બોલાચાલી અને જગડો થતો હતો જેના કારણે તેની પત્ની પિયર મા રહેવા માટે આવી ગય હતી.
જયારે અરવિંદ ચૌહાણે આ અંતીમ પગલુ ભર્યુ હતુ તા.10ના રોજ અરવિંદ ચૌહાણનો મૃતદેહ એટા લાવવામાં આવ્યો હતો. અંતીમ સંસ્કાર વેળા એ તેમની પત્ની તેના અંતીમ દર્શને આવી હતી પરંતું પરીવાર જનો એ તેને અંતીમ દર્શન કરવા ના દીધા હતા. જેનુ તેને દુખ લાગ્યુ હોવાથી અઠવાડીયાની અંદર તેણી એ પણ પંખા સાથે લટકી ને આત્મ હત્યા કરી લીધી હતી.
અરવિંદ છેલ્લા પાંચ વર્ષથી તે સૈન્યમાં ડ્યૂટી કરતો હતો. સિપાઈ તરીકે નિયુક્ત થયો હતો. એનો મોટો ભાઈ પણ સૈન્યમાં છે. હાર આ ઘટના માટે પ્રાથમીક તપાસ મા ઘર કંકાસ સામે આવ્યો છે જયારે સંપુણ તપાસ પૂરી થયા બાદ મામલો સ્પષ્ટ થશે. છેલ્લા કેટલાક સમયથી તે પોતાના પીયરમાં રહેતી હતી. આત્મહત્યા પાછળ ઘરકંકાસ હોવાનુ મનાય રહ્યું છે પણ કોઈ ચોક્કસ મુદ્દો સામે આવ્યો નથી.