વિઠ્ઠલ રાદડીયા પોતાની દરેક ગાડી પર “વૈભવ” લખાવતા હતા કારણ કે
ગુજરાત ના લોક પ્રિય નેતા વિઠ્ઠલ રાદડીયા ના અવસાન ને 29 જુલાઈ ના રોજ 2 વર્ષ પૂરાં થશે ત્યારે તેના ચાહકો જુની યાદો નુ સ્મરણ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના બહુ ઓછા લોકોને ખબર હશે કે વિઠ્ઠલ રાદડીયાએ પોતાના તમામ વાહનોની ઉપર વૈભવ એવું નામ લખાવ્યું છે. તેઓ શા માટે વૈભવ લખાવતા હતા તે જાણવું પણ રસપ્રદ છે.
વિઠ્ઠલ રાદડીયા ને કુલ ચાર પુત્રો હતા જેમાથી સૌથી નાનો પુત્ર વૈભવ હતો અને તે વિઠ્ઠલ રાદડીયા ને ખુબ વ્હાલો હતો જે ખુબ નાની વયે મૃત્યુ પામ્યો હોવાથી વિઠ્ઠલ રાદડીયા આઘાત મા સરી પડયા હતા. જ્યારે અન્ય એક દિકરા નુ હાર્ટ એટેક થી મૃત્યુ થયુ હતુ અને તે દિકરા ના ઘરે એક બેબી અને એક બાબો એમ બે સંતાન હતા.
દિકરા ના મૃત્યુ પુત્રવધુ ને પોતાની દિકરી ની જેમ રાખતા અને થોડા સમય બાદ પુત્રવધુ મનીષા ના લગ્ન ધુમ ધામ થી કરાવ્યા હતા. ત્યાર બાદ થોડા સમય બાદ તેમના પાંચ વર્ષ નો દીકરો પણ કેન્સર ના કારણે મૃત્યુ પામ્યો હતો આમ એક પછી એક અનેક આઘાતો વિઠ્ઠલ રાદડીયા સહન નહોતા કરી શકતા.
જેના કારણે તેમની તબીયત પણ બરોબર ન્હોતી રહેતી. અને આવી સ્થિતિ મા તેનો નાનો પુત્ર વૈભવ ને કોઈ હીસાબે ભુલી શકતા ન્હોતા અને તેની દરેક ગાડી મા વૈભવ નામ લખાવતા હતા.