એક સાથે છ લોકો ના મૃત્યુ થયા, એક ને બચાવવા પાછળ પાંચ લોકો
ઘણી વખત નાની એવી ભુલ નુ પરીણામ આપણે મોટુ ભોગવવું પડતુ હોય છે એવી જ એક ઘટના મધ્ય પ્રદેશ ના છતરપુર જીલ્લા મા બની હત. જેમા 6 લોકો નુ એક સાથે મૃત્યુ થયુ છે. છ લોકો ના મૃત્યુ ના લીધે આખુ ગામ હિબકે ચડયું હતુ અને મધ્ય પ્રદેશ ના સી એમ શિવરાજસિંહ ચૌહાણે પણ આ અકસ્માત અંગે શોક વક્ત કર્યો હતો.
જો અકસ્માત ની વિગતે વાત કરીએ તો આ અકસ્માત રવિવારે છત્રપુર જિલ્લાના બિજાવર પોલીસ સ્ટેશન વિસ્તાર મહુવા જાલા ગામ મા બન્યો હતો. આ ગામ એક શૌચાલય નુ રિપેરીંગ કામ ચાલુ હતુ જયાં એક વ્યક્તિ ને બચાવવા માટે અન્ય લોકો એ પણ પ્રયાસ કર્યો હતો દરમ્યાન મા અન્ય પાંચ લોકો ને પણ શોક લાગ્યો હતો અને મોત ને ભેટ્યા હતા.
બનાવની જાણ થતાં જ સ્ટેશન ઇન્ચાર્જ મુકેશ ઠાકુર પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.આ પછી તેવોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહીં તબીબો લક્ષ્મણ આહિરવર પુત્ર રામુઆ (55), શંકર આહિરવર પુત્ર હલી આહિરવર (35), મિલન આહિરવર પુત્ર હલુ (25), નરેન્દ્ર પિતા જગન આહિરવર (20), રામપ્રસાદ પુત્ર હલ્લી આહિરવર (30), વિજય પુત્ર જગન આહિરવર (20) .) મૃત જાહેર કરાર કરાયા હતા.
ધારાસભ્ય રાજેશ શુક્લા બબલુએ પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. ધારાસભ્યનો પુત્ર ધનંજય શુક્લા પીડિત પરિવારને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તેમણે પણ પરિવારને તમામ શક્ય મદદની ખાતરી આપીને દુ.ખ વ્યક્ત કર્યું હતું.