તો શુ રાજકારણ મા આવી જશે સોનુ સુદ?? કેજરીવાલ ને મળ્યા બાદ આપ્યુ આ મોટુ નીવેદન
બોલીવૂડ ના સ્ટાર અને અનેક લોકો ની મદદ કરનાર જેને દેશ ના લોકો બધા માન થી જુવે છે તે સોનુસુદ શુક્રવારે અરવિંદ કેજરીવાલ ને મળ્યા હતા. ત્યારે રાજકારણ ના રસીયા ઓ મા ચર્ચા નો વિષય બન્યો હતો કે શુ સોનુ સુદ આમ આદમી પાર્ટી જોડાશે ?? અને સાથે ચર્ચાઈ રહ્યુ છે કે પંજાબ મા આવનાર વિધાનસભા મા પ્રચાર પણ કરશે તેવી અટકળો લોકો લગાવી રહ્યા છે.
આ અંગે સોનુસુદે ખુદ એક મોટુ નીવેદન આપી દીધુ છે.જેમા એમણે જણાવ્યું હતુ કે “અરવિંદ કેજરીવાલે તેમને દેશની માર્ગદર્શક યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનું નક્કી કર્યું છે, આ સંબંધમાં તેઓ મળ્યા હતા. તેમણે કહ્યું કે, “લોકો હંમેશા તેને કહે છે કે જો તમે સારું કામ કરી રહ્યા છો તો રાજકારણમાં આવો. પરંતુ સારું કામ કરવા માટે તમારે રાજકારણમાં આવવાની જરૂર નથી. હા ઓફર્સ આવતી રહે છે પણ મેં ક્યારેય તેના વિશે વિચાર્યું નથી. મારી અને સીએમ કેજરીવાલ વચ્ચે રાજકારણની કોઈ વાત થઈ નહોતી.
આ ઉપરાંત જયારે સોનુસુદ ને પૂછવામાં આવ્યુ કે પંજાબ ની ચુંટણી મા શુ ભૂમિકા રહેશે ત્યારે સોનુસુદે જણાવ્યું હતુ કે. ” રાજકારણ ની બાબત મા હુ કાઈ ચર્ચા કરવા નથી માંગતો અને રાજકારણ મા જોડાવાની પણ હાલ કોઈ ઈચ્છા નથી. હાલ બાળકોને માર્ગદર્શન આપવાનુ કામ મળ્યુ છે આના થી મોટી કોઈ સેવા નથી. અને શિક્ષણ ક્ષેત્ર મા સારુ કામ થયુ છે અને એ સૌ કોઈ અનુભવ કરે છે.
આ અભિયાન મા સોનુસુદ બાળકો ને ગાઈડ કરશે અને આ અંગે સી એમ અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે સોનુસુદ લાખો લોકો માટે પ્રેરણા રૂપ બની ગયા છે અને જે કામ સરકાર નથી કરી શકી એ કામ સોનુસુદ કરી બતાવ્યું છે અને અરવિંદ કેજરીવાલે સોનુસુદ ના ખુબ વખાણ કર્યા હતા.