હિમાચલ મા મોટી ઘટના બની પહાડ ધસી પડવાથી 40 લોકો થી વધુ પથ્થરો નીચે દબાયા
થોડા દિવસ પહેલા જ હિમાચલ પ્રદેશ મા એક મોટી ઘટના ઘટી હતી જેમાં ઘણા લોકો ના જીવ ગયા હતા અને ફરી એક વખત આજે બપોરે હિમાચલ પ્રદેશ ના કિન્નોર મા ભેખડો અને પથ્થરો પડવાથી મોટી ઘટના ઘટી હતી જેમાં અંદાજે 40 જેટલા લોકો દબાયા ની આશંકા છે. અને બે કાર અને એક બદ દબાઈ છે.
મળતી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશ ના તેલંગાણા મા આ મોટી ઘટના બુધવારે બપોરે કિન્નોર મા નેશનલ હાઈ વે પર બની હતી જેમાં લેંડસ્લાઈડ થવાને કારણે યાત્રી ઓ ભારલી બસ અને બે કાર પથ્થરો નીચે દબાઈ ગઈ હતી. ઘટના બનતા તાત્કાલિક પ્રશાસન દ્વારા NDRF ટીમ ને બચાવ કરવામા મોકલી હતી. અને ત્યાર બાદ ભારતીય સેના પણ મદદ એ પહોચી હતી.
આ ઘટના મા કુલ 40 લોકો ફસાયા ની આશંકા છે આ આંકડો વધી શકે તેમ છે અને દબાયેલી બસ ની વાત કરવામા આવે તો તે હિમાચલ રોડવેઝ ની બસ હતી. અને આ બસ કિન્નોર થી શિમલા તરફ જઈ રહી હતી. હાલ હજી સુધી પથ્થરો પડવા ના અના ભેઘડુ ઘસી પડવાની ચાલુ હોવાથી બચાવ કામગીરી બરોબર થય રહી નથી.
હાલ બસ ના ડ્રાઈવર અને કંડક્ટર નો સંપર્ક કરવા મા નો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદ ના કારણે આ ઘટના બની હોવાનુ અનુમાન લગાવામા આવી રહ્યુ છે.