Religious

ગુજરાતનું ચમત્કારી મંદિર જ્યાં, 600 વર્ષ થી 15000 કી.ગ્રા ઘી પડ્યું છે, જે ક્યારેય ખૂટતું કે બગડતું નથી.

ભારત એ દેવોની ભુમી છે, કારણ કે અહીંયા એનક દેવી દેવતાઓનો વાસ રહેલો છે તેમજ આ જ ધરા ઉપર ભગવાને માણસ રૂપે અવતાર ધર્યો છે જેની હયાતીના યાદ રૂપે તેમને અનેક ચમત્કારો છોડીને ગયા છે જે સદાય આવનાર સમયને તેમની યાદ બતાવે. ભગવાન શ્રી કૃષ્ણનું નિધન અને ત્યારબાદ દ્રાપરયુગનો અંત આવ્યો અને કલયુગનો પ્રારંભ થયો.

આ યુગમાં અનેક એવા મંદિરો અને તેમજ નદીઓ અર્થાત રહસ્યમય વસ્તુઓ હાલમાં આપણને જોવાં મળે છે કે, આપણે સૌ કોઈ ચોંકી જઈએ છે.ચાલો આજે આપણે ભારતનાં એક એવા જ પવિત્ર સ્થળ વિશે જાણીએ. આપણે અનેક મહાદેવોનાં મંદિર વિશે સાંભળ્યું હશે અને તેના ચમત્કારો વિશે વાકેફ છીએ પરંતુ આજે અમે આપને એક વર્ષો જૂની એવી વસ્તુઓ વિશે માહિતી આપીશું જે આજના સમયમાં એમ જ છે.

મધ્ય ગુજરાતનામાં અમદાવાદથી 50 કિલોમીટર દૂર ખેડા જિલ્લાના રઢુ ગામ વાત્રક નદીના કાંઠે આવેલું છે. આ ગામના કામનાથ મહાદેવના મંદિરમાં જ્યાં 600 વર્ષ જૂનું ઘી સચવાયેલું પડ્યું છે. આ મંદિરમાં 650 જેટલા કાળા માટલામાં આ ઘી સચવાયેલું છે ખાસ વાત એ કે ઘી ક્યારેય ઓછું નથી થતું કે ઘી બગડતું પણ નથી. આ ઘી માંથી દીવા કરવામાં આવે છે. મંદિરના સંચાલકો કહે છે કે આ મંદિરમાં 15000 કિલોગ્રામ ઘી છે.

મંદિરમાં પ્રજ્જવલિત જ્યોત તેમજ મંદિરના પ્રાંગણમાં થતાં યજ્ઞોમાં આ ઘીનો ઉપયોગ થાય છે તેમ છતાં તેમાં ઘટાડો થતો નથી. આટલા મોટા જથ્થામાં ઘી એકત્ર થવાનું કારણ એવું છે કે આ ગામ તેમજ તેની આજુબાજુના ગામડાઓઓમાં ખેડૂતના ઘરે ભેંસ કે ગાયનું બચ્ચું જન્મે ત્યારપછી વલોણાનું ઘી બનાવીને મંદિરને દાન કરવામાં આવે છે.

મંદિરનો ઇતિહાસ 600 વર્ષથી પુરાણો છે. કહેવાય છે કે આ મંદિર 1445ની સાલમાં બન્યું હતું. આ ગામના જેસંગભાઇ હીરાભાઇ પટેલ મહાદેવની જ્યોત લાવ્યા હતા. તેઓ સવારે મહાદેવના દર્શન કર્યા પછી ભોજન લેતાં હતા. તેઓ પુનાજ ગામમાંથી જ્યોત લઇ આવ્યા હતા. આ ગામ રઢુ થી આઠ કિલોમીટર દૂર છે. તેઓ જ્યારે જ્યોત લાવ્યા ત્યારે વરસાદ અને પવન હોવા છતાં જ્યોતને અસર થઇ ન હતી. આ દિવો સદીઓથી અખંડ રહ્યો છે અને હજી પણ જ્યોત 24 કલાક સુધી હોય છે.

ભારત એ દેવોની ભુમી છે, કારણ કે અહીંયા એનક દેવી દેવતાઓનો વાસ રહેલો છે તેમજ આ જ ધરા ઉપર ભગવાને માણસ રૂપે અવતાર ધર્યો છે જેની હયાતીના યાદ રૂપે તેમને અનેક ચમત્કારો છોડીને ગયા છે જે સદાય આવનાર સમયને તેમની યાદ બતાવે. ભગવાન શ્રી કૃષ્ણનું નિધન અને ત્યારબાદ દ્રાપરયુગનો અંત આવ્યો અને કલયુગનો પ્રારંભ થયો.

આ યુગમાં અનેક એવા મંદિરો અને તેમજ નદીઓ અર્થાત રહસ્યમય વસ્તુઓ હાલમાં આપણને જોવાં મળે છે કે, આપણે સૌ કોઈ ચોંકી જઈએ છે.ચાલો આજે આપણે ભારતનાં એક એવા જ પવિત્ર સ્થળ વિશે જાણીએ.
આપણે અનેક મહાદેવોનાં મંદિર વિશે સાંભળ્યું હશે અને તેના ચમત્કારો વિશે વાકેફ છીએ પરંતુ આજે અમે આપને એક વર્ષો જૂની એવી વસ્તુઓ વિશે માહિતી આપીશું જે આજના સમયમાં એમ જ છે.

મધ્ય ગુજરાતનામાં અમદાવાદથી 50 કિલોમીટર દૂર ખેડા જિલ્લાના રઢુ ગામ વાત્રક નદીના કાંઠે આવેલું છે. આ ગામના કામનાથ મહાદેવના મંદિરમાં જ્યાં 600 વર્ષ જૂનું ઘી સચવાયેલું પડ્યું છે. આ મંદિરમાં 650 જેટલા કાળા માટલામાં આ ઘી સચવાયેલું છે ખાસ વાત એ કે ઘી ક્યારેય ઓછું નથી થતું કે ઘી બગડતું પણ નથી. આ ઘી માંથી દીવા કરવામાં આવે છે. મંદિરના સંચાલકો કહે છે કે આ મંદિરમાં 15000 કિલોગ્રામ ઘી છે.

મંદિરમાં પ્રજ્જવલિત જ્યોત તેમજ મંદિરના પ્રાંગણમાં થતાં યજ્ઞોમાં આ ઘીનો ઉપયોગ થાય છે તેમ છતાં તેમાં ઘટાડો થતો નથી. આટલા મોટા જથ્થામાં ઘી એકત્ર થવાનું કારણ એવું છે કે આ ગામ તેમજ તેની આજુબાજુના ગામડાઓઓમાં ખેડૂતના ઘરે ભેંસ કે ગાયનું બચ્ચું જન્મે ત્યારપછી વલોણાનું ઘી બનાવીને મંદિરને દાન કરવામાં આવે છે.

મંદિરનો ઇતિહાસ 600 વર્ષથી પુરાણો છે. કહેવાય છે કે આ મંદિર 1445ની સાલમાં બન્યું હતું. આ ગામના જેસંગભાઇ હીરાભાઇ પટેલ મહાદેવની જ્યોત લાવ્યા હતા. તેઓ સવારે મહાદેવના દર્શન કર્યા પછી ભોજન લેતાં હતા. તેઓ પુનાજ ગામમાંથી જ્યોત લઇ આવ્યા હતા. આ ગામ રઢુ થી આઠ કિલોમીટર દૂર છે. તેઓ જ્યારે જ્યોત લાવ્યા ત્યારે વરસાદ અને પવન હોવા છતાં જ્યોતને અસર થઇ ન હતી. આ દિવો સદીઓથી અખંડ રહ્યો છે અને હજી પણ જ્યોત 24 કલાક સુધી હોય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!