India

ઘરના ચાર સભ્યોનો હત્યારો ઘરનો દિકરો નીકળ્યો ! આરોપી મોનુના આવા અજીબ શોખ હતા.

હરીયાણા ના રોહતક મા એક ચકચારી ઘટના સામે આવી હતી જેમાં ચાર લોકો ની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ તપાસ મા ચોકાવનારી વખતો સામે આવી હતી અને આરોપી ખુદ ઘરનો દિકરો જ નીકળ્યો હતો. રોહતક પોલીસ ની તપાસ મા સામે આવ્યુ હતુ કે આરોપી પોતાનુ જેન્ડર ચેન્જ કરવી વિદેશ ભાગી જાવા માંતગો હતો અને ઘર ના લોકો ને આ ખબર પડી ત્યારે તેની પીટાઈ કરવામા આવી હતી અને આ કારણો સર જ તેણે ઘરના સભ્યો ની હત્યા કરી નાખી હતી.

હરીયાણા ના રોહતક ના વિજયનગર કોલોની મા ચાર લોકો ની હત્યા થઈ હતી અને પોલીસ દ્વારા તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસ ના જણાવ્યા અનુસાર ઘર ના ચાર સભ્યોની માતા , પિતા, દાદી અને બહેન ની હત્યા ઘર ના દિકરા અભિષેક એ જ કરી હતી અને તેણે હાલ તેની ઘરપકડ કરવામા આવી છે. પોલીસ તપાસ મા સામે આવ્યુ છે કે અભિષેક ઉર્ફે મોનુ સમલૈગરીક સંબંધો ધરાવતો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન, મોનુએ ખુલાસો કર્યો છે કે તે સર્જરી દ્વારા પોતાનું જેન્ડર બદલવા માંગતો હતો. તે છેલ્લા એક વર્ષથી સર્જરી માટે ઇન્ટરનેટ પર આવા ક્લિનિક્સ વિશે માહિતી એકઠી કરી રહ્યો હતો. એટલું જ નહીં, તે પોતાનું જેન્ડર બદલવા અને ઉત્તરાખંડના મિત્ર સાથે વિદેશ ભાગી જવા માંગતો હતો. પરંતુ આ બાબત ની જાણ પરીવાર ને થઈ ગઈ હતી અને અભિષેક ને માર મારવામા આવ્યો હતો. ત્યાર બાદ ગુસ્સે ભરાયેલાં અભિષેકે ઘર ના સભ્યો ની હત્યા કરી નાખી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મોનુએ પહેલા તેની બહેન તમન્ના ઉર્ફે તન્નુ, ત્યારબાદ દાદી રોશની, માતા સંતોષ ઉર્ફે બબલી અને પિતા પ્રદીપ મલિક ઉર્ફે બબલુની હત્યા કરી હતી. હત્યા કેસના મુખ્ય આરોપી અભિષેક ઉર્ફે મોનુ, મૃતક બબલુનો એકમાત્ર પુત્ર છે અને જાટ કોલેજમાં બીએ પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!