જીવતા માણસ ની આ રીતે અંતીમ યાત્રા કાઢવામા આવી પરંતું હકીકત સામે આવી તો સૌ કોઈ ભાવુક થય ગયા
10 જુલાઈ થય ગઈ પરંતુ હજી પણ દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો નથી. ખેડુતથી લઈને દરેક લોકો, સૌ કોઈ પ્રાર્થના કરે છે કે વરસાદ પડે. કારણ કે લોકોના અંગ દઝાડતી ગરમીથી પરેશાન છે. દરમિયાન, લોકો મધ્યપ્રદેશના ઝાબુઆમાં વરસાદના પાણી માટે તમામ પ્રકારની ટોટકા કરી રહ્યા છે. જેથી ઇન્દ્રદેવ પ્રસન્ન થઈને વરસાદ વરસાવે. વરસાદ પડે એટલે તે એક જીવંત વ્યક્તિની અંતીમ યાત્રા કાઢવામા આવી હતી
હકીકતમાં, વરસાદના અભાવે, ગ્રામજનો ટોટકાનો સહારો લે છે. આવી જ એક તસવીર મધ્ય પ્રદેશ ના ઝાબુઆ શહેરમાંથી બહાર આવી છે, જેને જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અહીં લોકોએ વરસાદ પડવા માટે અશોક નામના જીવંત યુવક ની અંતીમ યાત્રા કાઢી હતી તે લોકોનું માનવું છે કે જો કોઈના શરીરને આ રીતે જીવંત બહાર કાઢવામાં આવે તો વરસાદ પડવાની શક્યતા છે
અર્થી પર પડેલા અશોકે જણાવ્યું કે હું ખેડૂત છું, ઘણા સમય પહેલા સોયાબીનનો પાક ખેતરોમાં વાવવામાં આવ્યો છે પરંતુ વરસાદના અભાવે તે સુકાવાની આરે પહોંચી ગયો છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જો વરસાદ પડે અને જો વરસાદ ના પડે તો અમારે ફરી બિયારણ ની ખરીદી કરવી પડશે અને મોટુ નુકશાન જશે. એટલા માટે જ આ અંતીમ યાત્રા કાઢવામા આવી છે. સૌ પ્રથમ તો આ અંતીમ યાત્રા જોઈ સૌને નવાઈ લાગી પરંતુ હકીકત સામે આવી તો લોકો ભાવુક થય ગયા