રક્ષાબંધન ઉજવવા જઈ રહેલા પરીવાર ને અકસ્માત નડ્યો, એક સાથે પાંચ લોકો ના મોત થયા.
હાલ મા જ એક ખુબ દુખદ ખબર સામે આવી રહી છે જેમાં એક સાથે પાંચ લોકો ના મૃત્યુ થયા છે. ઉત્તર પ્રદેશ ના મહુ જીલ્લા મા એક ગંભીર અકસ્માત મા 5 લોકો ના જીવ ગયા છે તો 2 ગંભીર રીતે ઘાયલ થયા છે. જેને સારવાર માટે હોસ્પીટલ મા ખસેડવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત કાર ચાલક ને જોકુ આવવા થી થયો છે તેવુ પ્રાથમીક માહીતી મા જાણવા મળ્યુ હતુ.
મળતી માહિતી અનુસાર આ ઘટના ઉત્તર પ્રદેશ ના મહુ જીલ્લા મા સોનબનારસ ગામ પાસે ઘટી હતી. આ ઘટના મોડી રાત્રે બની હતી. જેમાં એક પરીવાર છતીસગઢ થી આવતો હતો ત્યારે કાર ડ્રાઈવર ને જોકુ આવવા થી કાર ખાઈ મા પડી હતી. અને પાંચ લોકો ના જીવ ગયા હતા. જેમાં મૃતકોમાં 5 વર્ષીય મયંક, 9 વર્ષીય તાનિયા, 38 વર્ષીય મમતા, અઢી વર્ષની બાળકી અને 7 વર્ષિય દિવ્યાંશનો સમાવેશ થાય છે.
પોલીસ ના જણાવ્યા અનુસાર મૃતક પરિવારની પુત્રવધૂ છત્તીસગઢથી કારમાં રક્ષાબંધન નિમિત્તે બિહારમાં તેના માદરે વતન મધુબન જઈ રહી હતી. કારમાં પરિવારના સાત સભ્યો હતા. પરંતુ ઘરે પહોંચતા પહેલા આ ભયંકર અકસ્માત થયો. નિર્દોષ બાળકો પણ આ અકસ્માતનો ભોગ બન્યા. જ્યારે પોલીસે બાળકોનો મૃતદેહ બહાર કા્યો ત્યારે તેઓ પણ ભાવુક થઈ ગયા હતા.
સ્થાનીક લોકો ના જણાવ્યા અનુસાર કાર ની સ્પીડ ઘણી વધુ હતી અને અંચનાક પલટી મારી ને કાર ખાઈ મા ઉંધી પડી હતી અને અવાજ આવતા લોકો ત્યા મદદ કરવા દોડી ગયા હતા. અને બચેલા લોકો ને હોસ્પીટલ પહોંચાડ્યા હતા. જયારે ઉ. પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદીત્યા નાથે આ ઘટના ને લઈ ને શોક વ્યકત કર્યો હતો.